સુરત : SMCના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ACB દ્વારા લાંચ કેસમાં ધરપકડ,અન્ય એક ફરાર

સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને  લાંચની માંગણી કરવામાં આવી હતી

New Update
સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને  લાંચની માંગણી કરવામાં આવી હતી. જે અંગે ACBમાં ફરિયાદ કરવામાં આવતા રૂપિયા 10 લાખની લાંચની માંગણીમાં કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે અન્ય કોર્પોરેટર જીતુ કાછડીયા ફરાર છે.
સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.53 ના ફાઇનલ પ્લોટ નં.88 માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અંગે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે. અને અહીંયા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવેલ હતી.
સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નં.16 અને 17 ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયાએ આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતી.તે  દરમિયાન  તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જાનવીને કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી હતી,અને  રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી..
જે અંગે કોન્ટ્રાકટર દ્વારા ACBનો સંપર્ક કરીને રેકોર્ડિંગ સહિતના પુરાવા આપીને ફરિયાદ કરવામાં આવી હતી,તેથી ACB દ્વારા વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી હતી,જ્યારે ફરાર જીતુ કાછડીયાની ધરપકડ માટેના ACBએ ચક્રો ગતિમાન કર્યા હતા.આ ઘટના અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તીખી પ્રતિક્રિયા આપી હતી,અને આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર પાર્ટી હોવાના આક્ષેપ કર્યા હતા.
Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.