સુરત : SMCના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ACB દ્વારા લાંચ કેસમાં ધરપકડ,અન્ય એક ફરાર

સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને  લાંચની માંગણી કરવામાં આવી હતી

New Update
સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને  લાંચની માંગણી કરવામાં આવી હતી. જે અંગે ACBમાં ફરિયાદ કરવામાં આવતા રૂપિયા 10 લાખની લાંચની માંગણીમાં કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે અન્ય કોર્પોરેટર જીતુ કાછડીયા ફરાર છે.
સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.53 ના ફાઇનલ પ્લોટ નં.88 માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અંગે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે. અને અહીંયા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવેલ હતી.
સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નં.16 અને 17 ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયાએ આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતી.તે  દરમિયાન  તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જાનવીને કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી હતી,અને  રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી..
જે અંગે કોન્ટ્રાકટર દ્વારા ACBનો સંપર્ક કરીને રેકોર્ડિંગ સહિતના પુરાવા આપીને ફરિયાદ કરવામાં આવી હતી,તેથી ACB દ્વારા વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી હતી,જ્યારે ફરાર જીતુ કાછડીયાની ધરપકડ માટેના ACBએ ચક્રો ગતિમાન કર્યા હતા.આ ઘટના અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તીખી પ્રતિક્રિયા આપી હતી,અને આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર પાર્ટી હોવાના આક્ષેપ કર્યા હતા.
Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.