સુરત : સરથાણા બિઝનેસ હબના 9મા માળેથી મહિલા ડોક્ટરે લગાવી મોતની છલાંગ, ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ શરૂ...

સુરત શહેરના સરથાણા વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલ ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

New Update
  • સરથાણા જકાતનાકા પાસે સરથાણા બિઝનેસ હબની ઘટના

  • બિઝનેસ હબના 9મા માળેથી મહિલા ડોક્ટરે લગાવી છલાંગ

  • 9મા માળેથી પટકાતાં મહિલા ડોક્ટરનું ગંભીર ઇજાથી મોત

  • બનાવના પગલે ઘરના સભ્યો-પોલીસ કાફલો દોડી આવ્યો

  • આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

સુરત શહેરના સરથાણા વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલ ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસારમૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની અને હાલ સુરતના સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલ વિશ્વા રેસિડેન્સિમાં રહેતી 28 વર્ષીય રાધિકા જમનભાઈ કોટડિયા પોતાના પરિવાર સાથે રહેતી હતી. રાધિકાની 6 મહિના પહેલાં જ એક યુવક સાથે સગાઈ થઈ હતીઅને આગામી 19 ફેબ્રુઆરી-2026ના રોજ તેમના લગ્ન થવાના હતા. ગત તા. 21 નવેમ્બર સાંજે 7:15 વાગ્યાના અરસામાં રાધિકા સરથાણા જકાતનાકા પાસે સરથાણા બિઝનેસ હબમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ગઈ હતીત્યાં અન્ય કપલો પણ હાજર હતાંઅને બધા હળવાશની પળો માણી રહ્યા હતા. આ દરમિયાન રાધિકા અચાનક ખુરસી પરથી ઊભી થઈઅને પાળી ઉપર ચઢીને સીધું નીચે ઝંપલાવી દીધું હતું. જોરથી કંઈક પટકાયાનો અવાજ આવતાં આસપાસના લોકો તેમજ કાફેના લોકો દોડી ગયા હતા. જોકેગંભીર ઇજાના પગલે રાધિકાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ ઘરના તમામ સભ્યો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતોજ્યાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. આ તરફપોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણબનાવોને કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે2 મહિના બાદ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતાત્યારે આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતીઅને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે. હાલ તો આપઘાત પાછળનું કોઇ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories