સુરતના યુવકે UPSCની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ચોથો ક્રમ મેળવ્યો, વધાર્યું પરિવારનું ગૌરવ...

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સુરતના એક યુવકે ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે.

New Update

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સુરતના એક યુવકે ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે. ગુજરાતમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો છેત્યારે આવો જોઈએ કોણ છે આ યુવાન અને કેવી રીતે પાસ કરી આ પરીક્ષા...

Advertisment

અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં બીજા સંતાન એવા ફેમિન ગજેરાનો 1999માં જન્મ થયો હતો. પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા. તેઓ હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે. ફેમિને સુરતમાં રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાને તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી. ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કર્યું છે.

2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી. કોરોના મહામારી સમયે 6 મહિના માટે જૂનાગઢ નોકરી કરી હતી. ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલુ કરી હતી. 2019માં સિવિલ સર્વિસિસની તૈયારીઓ ચાલુ કરી હતી. મનોબળ ભેગું કરી તમામ ધ્યાન પરીક્ષાની તૈયારીમાં આપ્યું હતું. પિતા જયસુખ ગજેરા પણ ખૂબ જ પ્રેરણા આપે છે કેફેનિલને જીવનમાં આગળ વધવાનું ઈસ્પિરેશન મળી જતું હતું. આ બધાની વચ્ચે 2021માં સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલુ કરી હતી. સિવિલ સર્વિસિસની ઓનલાઈન તૈયારી દરમિયાન UPSC સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરીક્ષા લે છેતે અંગે જાણ થતાં ફેનિલે તૈયારીઓ શરૂ કરી હતી. પહેલી પરીક્ષામાં ફેનિલ ઈન્ટરવ્યૂ સુધી પહોંચી ગયો હતો. જોકેઆ પરીક્ષાની ફેનિલને સંપૂર્ણ માહિતી ન હતી. જેના લીધે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકેફેનિલે બીજા પ્રયાસમાં પુરી તૈયારી કરી હતીઅને બીજા પ્રયાસમાં જ ફેનિલ ભારતમાં ચોથા ક્રમે આવ્યો છે. આ સફળતા માતા-પિતા અને મારા શુભ ચિંતકોનો ફાળો રહ્યો છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થી જીવનમાં એક ડિસિપ્લીન હોવું જોઈએ. પરીક્ષા ન હોય ત્યારે ટાઈમ ટેબલ બનાવી 6થી 7 કલાક વાંચન કરવું જોઈએ. જોકેજ્યારે પરીક્ષા નજીક આવી જાય ત્યારે રિવિઝન કરવાનું હોયત્યારે આ કલાકો વધીને 12થી 13 કલાક સુધી પહોંચી જતા હોય છે. વધુમાં ફેનિલે જણાવ્યુ હતું કેઆ CAPFની પરીક્ષા 24 વર્ષની ઉંમર પછી આપી શકાતી નથી. તેથી ગુજરાતમાં તેનો ક્રેઝ નથી. પરંતુ ઉતર ભારત અને દક્ષિણ ભારતમાં આ કેડરમાં જવા માટે યુવાનો રાત-દિવસ મહેનત કરતા હોય છે. પોતાની બહેનના કરુણ મોત બાદ તેના પિતા જે રીતે સિસ્ટમ સામે લડી રહ્યા છેતેથી ફેનિલનો રસ આ સિસ્ટમમાં ભાગ લઇને દેશ અને લોકોને મદદ કરવાનો છે.

Advertisment
Read the Next Article

સુરત : પાટીદારની શિક્ષિત દીકરીએ લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો, સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓને કરે છે મદદ

ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સ, એમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસ, સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે

New Update
  • લોકો દેખાદેખીમાં લગ્નપ્રસંગમાં કરે છે મોટા ખર્ચાઓ

  • પાટીદાર સમાજની શિક્ષિત દીકરીનો ઉચ્ચ વિચાર

  • પોતાના લગ્નમાં ખોટો ખર્ચ અટકાવી રકમ બચાવી

  • સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓની કરે છે મદદ

  • સગા સંબંધીઓ સહિત લોકોએ લગ્નની નોંધ લીધી

Advertisment

આજકાલ લોકો દેખાદેખીમાં લગ્નમાં ભારે ખર્ચા કરતાં હોય છેત્યારે સુરતમાં રહેતી પાટીદાર સમાજની શિક્ષિત દીકરીએ સાદુ જીવનઉચ્ચ વિચારને સાર્થક કરી પોતાના લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો હતો. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સએમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસસામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે. તેમના લગ્ન પોલીસ કમિશનર કચેરીમાં એકાઉન્ટ રાઈટર તરીકે ફરજ બજાવતા મહેશ હપાણી સાથે થયા હતા. ગત તા. 10મી મેના રોજ યોજાયેલા આ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર આ દંપતીએ અગાઉથી નિર્ધારિત કર્યા પ્રમાણે ખોટા ખર્ચ અટકાવી સમાજમાં એક અલગ જ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ઉર્વશી ધોરાજીયાએ જણાવ્યુ હતું કેહું કાઉન્સેલિંગ કામ કરુ છું. જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છેતેમને સમજાવે છે કેજેથી તેઓ માતા-પિતાને જાણ કરીને આ પ્રકારના પગલાં ભરે. એવી દીકરીઓનું કાઉન્સેલિંગ કરુ છુંજે આંતરધર્મમાં જઈને લગ્ન કરતી હોય છેત્યારે મેં મારા લગ્ન વખતે મારા પિતાનો વિચાર અનુસર્યો હતો.

મારા પપ્પા કહેતા કેરૂપિયા બચાવીને રાખવા. જેથી ખરાબ સમયમાં કામ આવે. કોઈ રૂપિયા કોઈ પાસેથી લઈને પ્રસંગ ન ઉજવવા. જેથી મેં પોલીસમાં ફરજ બજાવતા મારા પતિ સમક્ષ વિચાર મુક્યો. તેમણે પણ આ વિચારને વધાવી લીધો અને અમે 3 લાખથી વધુની રકમ લગ્નમાંથી બચાવીને ગૌશાળા અને 3 બાળકોની ફી ભરવામાં આ રકમ વાપરીશું. લગ્નમાં પ્રતિજ્ઞા વૃદ્ધસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને પીરસવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેથી કેટરર્સની જગ્યાએ સંસ્થાને આડકતરી રીતે મદદ થઈ શકેત્યારે સમગ્ર લગ્નની સગા સંબંધીઓ સહિતના લોકોમાં ચર્ચાની સાથે અલગ નોંધ પણ લેવામાં આવી હતી.

Advertisment