સુરેન્દ્રનગર : લખતર રોડ પર કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ, 4 ના મોત
BY Connect Gujarat18 Nov 2020 3:10 AM GMT
X
Connect Gujarat18 Nov 2020 3:10 AM GMT
સુરેન્દ્રનગરના લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં 4 લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરથી લખતર જવાના રોડ પર કોઠારિયા ગામના પાટિયા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી. આ દૂર્ઘટનામાં 4 લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે. તમામ મૃતકોની લાશને કારમાં થી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
આ અકસ્માતમાં એટલો ભયાનક હતો કે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે દૂર્ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલ અકસ્માતને લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Next Story