Connect Gujarat
ગુજરાત

પડતર પ્રશ્નો મુદ્દે સરકારના ઉદાસીન વલણના કારણે શિક્ષકો ઉતર્યા ઉપવાસ પર

પડતર પ્રશ્નો મુદ્દે સરકારના ઉદાસીન વલણના કારણે શિક્ષકો ઉતર્યા ઉપવાસ પર
X

ઉપવાસ દરમ્યાન શિક્ષકોએ ભરૂચ તેમજ ઝઘડિયામાં તેમની માંગણીઓ બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોના પડતર પ્રશ્નો બાબતે ઉદાસીન વલણ દાખવતા રાજ્યભરના શિક્ષક સંઘ દ્વારા ઉપવાસ પર બેસવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ તેમજ ઝઘડિયા તાલુકાના પટાંગણમાં શિક્ષકો ઉપવાસ પર બેઠા હતા.

ભરૂચ તેમજ ઝઘડિયા તાલુકાના શિક્ષકોએ પાઠવેલ આવેદનમાં તેમની પડતર માંગણીની લડતને વેગવંતી બનાવશેનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ભરૂચ તેમજ ઝઘડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંલગ્ન છે અને અખિલ ભારતીય શિક્ષક સંઘ સાથે જોડાયેલ છે. શિક્ષણની સ્થિતિમાં સુધારો લાવવા, શિક્ષણના સારા પરિણામો મેળવવા વિગેરે બાબતો માટે સંઘનું સંગઠન દ્વારા સરકારનું ધ્યાન આકર્ષિત કરી માંગ કરે છે કે, વર્ષ ૨૦૦૬થી જૂની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે આંદોલન ચલાવી રહ્યા છે.આ સંદર્ભે શિક્ષકોએ ભેગા મળી ૨૦૧૭માં દિલ્હી જંત૨મંત૨ ખાતે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. સરકારના ઉદાસીન વલણના પગલે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ ફરી આંદોલન કરવા મજબૂર બન્યા છે. આ બાબતે સંઘ દ્વારા જુદા જુદા સ્તરે તાલુકાથી લઇ રાષ્ટ્રીયકક્ષા સુધી આંદોલનની રૂપરેખા તૈયાર કરી સરકાર સામેની અંદોલનરૂપી લડતના ઝઘડિયા તાલુકાથી શ્રીગણેશ કર્યા હતા.

આ આંદોલન નવેમ્બર થી શરૂ કરી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ચાલશે. રાષ્ટ્રીય સ્તર પર

દિલ્હી ખાતે એક અઠવાડિયા સુધી ક્રમિક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ

ઉપરાંત તા.૩૦ નવેમ્બર સુધી તાલુકા કક્ષાએ, જિલ્લા

કક્ષાએ ૧૪ થી ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી, રાજ્ય

કક્ષાએ ૧૭ થી ૨ર જાન્યુઆરી ૨૦૨૦, રાષ્ટ્રીય

કક્ષાએ ૨૧ થી ર૭ જાન્યુઆરી ઉપવાસ આંદોલન કરવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે.

આજરોજ ભરૂચ અને ઝઘડિયા ખાતેના ઉપવાસ આંદોલન દરમિયાન શિક્ષકો પોતાની માંગણી

બાબતે ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમની પડતર માંગણીઓ જેવીકે

જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા

પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી તા. ૧.૧.૨૦૧૬ ની

અસર થી સમાનરૂપે લાગુ કરવી. બધા ફિક્સ પગારવાળા શિક્ષકો, પેરા ટીચર્સ, શિક્ષક

સહાયક, વિદ્યા સહાયક, ગણ

શિક્ષકો, નિયોજિત શિક્ષકો, ૩૧

માર્ચ ૨૦૨૧ ૫હેલા એક સરખું વેતન આપવામાં આવે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં

શિક્ષકને હાનિકર્તા બાબતો દૂર કરવી. શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક

કોર્ષ માટેની પરીક્ષા પહેલા પૂર્વ આયોજન થાય તેમ કરવું. ગુજરાત રાજ્ય શિક્ષક સંઘની

માંગણીઓમાં ઉચ્ચત્તર પગાર ધોરણ સી.સી.સી પાસ કર્યા બાદ પરંતુ મળવા પાત્ર તારીખ થી

આપવા બાબત તથા તારીખ ૩૦.૬.૧૬ પછી મુદત વધારવા બાબત. પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણમાં

રૂ.૪૨૦૦ ગ્રેડ પે ચાલુ રાખવા બાબત જેવી માંગણીઓ આવેદન પાઠવી સરકાર સમક્ષ કરી છે.

Next Story