Connect Gujarat
Featured

આજે ફરી એકવાર, સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે દેશને સંબોધન

આજે ફરી એકવાર, સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે દેશને સંબોધન
X

આજ રોજ તારીખ 7 ઓગસ્ટને સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી કરશે દેશને સંબોધન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનકારી સુધારો વિષય પર દેશને સંબોધતિ કરશે. શિક્ષા મંત્રાલય દ્રારા આયોજિત આ કાર્યક્રમમાં નવી શિક્ષણ નીતિ, ભવિષ્યનું શિક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

https://twitter.com/narendramodi/status/1291363838235828225?s=20

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સંજય ધોત્રે પણ સામેલ થશે. જ્યારે તમામ યુનિવર્સિટીઓના કુલપતિ, સંસ્થાઓના નિર્દેશક અને કોલેજોના આચાર્યો અને અન્ય શિક્ષણવિદો આ કાર્યક્રમમાં અલગ અલગ વિષયોને લઈ સત્રમાં ભાગ લેશે.તેમજ રાષ્ટ્રીય શિક્ષા નિતીનું માળખું તૈયાર કરનાર સમિતિના તમામ સભ્યો પણ હાજર રહેશે.

Next Story