કોરોના નિયમોમાં છૂટછાટ બાદ આંતરરાષ્ટ્રીય મુસાફરોને આજથી એરપોર્ટ પર આ બાબતોથી મળી રાહત
ભારત સહિત વિશ્વમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોવિડ સંબંધિત પ્રતિબંધોને હળવા કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે.

ભારત સહિત વિશ્વમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોવિડ સંબંધિત પ્રતિબંધોને હળવા કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારતે વિદેશથી આવતા પ્રવાસીઓને પણ મોટી રાહત આપી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે બનાવેલા નવા નિયમો હેઠળ, લોકોએ હવે વિદેશથી આગમન પર સાત દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવાની જરૂર રહેશે નહીં. આ સિવાય આંતરરાષ્ટ્રીય મુસાફરોને એરપોર્ટ પર ફરજિયાત કોવિડ ટેસ્ટિંગમાંથી પણ મુક્તિ આપવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હવે સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવાની જરૂર નથી અને આઠમા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર નથી. વિદેશથી એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોમાંથી, કુલ મુસાફરોમાંથી બે ટકાની કોવિડ માટે તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને પછી તેમને એરપોર્ટની બહાર જવા દેવામાં આવી રહ્યા છે. કોવિડ સર્ટિફિકેટની દિશામાં મુસાફરોને પણ મોટી રાહત આપવામાં આવી છે. હવે મુસાફરો એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરી શકશે.
આ ઉપરાંત રસીકરણ પ્રમાણપત્ર અપલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. વિદેશથી આવતા પ્રવાસીઓએ હવે હોમ ક્વોરેન્ટાઈનને બદલે ભારતમાં આગમન પર 14 દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવું પડશે. જો કોઈ પેસેન્જર પહોંચ્યા પછી સ્ક્રિનિંગ દરમિયાન સંક્રમિત જોવા મળે છે અથવા જો તે ચેપના લક્ષણો દર્શાવે છે, તો તેને તરત જ આઈસોલેટ કરવામાં આવશે. આ પછી યાત્રીને હેલ્થ પ્રોટોકોલ મુજબ હોસ્પિટલ લઈ જવામાં આવશે. ચેપગ્રસ્ત પ્રવાસીના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરવામાં આવશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
સુરત : VNSGUમાં સર્ટિફિકેટના ચાર્જમાં વધારો કરતાં વિધાર્થીઓ વિરોધના...
28 May 2022 11:30 AM GMTઅંકલેશ્વર : બોરભાઠા બેટ ગામે જુગાર રમતા ચાર જુગારિયો ઝડપાયા
28 May 2022 11:23 AM GMTઅંકલેશ્વર : દહેજ અદાણીમાંથી નીકળતો ઓસ્ટ્રેલિયન કોલસાનો કૌભાંડનો...
28 May 2022 11:16 AM GMTસુરેન્દ્રનગર : લીંબડી ખાતે ખેલ મહાકુંભ અન્વયે અંડર-17 ખો-ખો સ્પર્ધાનો...
28 May 2022 11:09 AM GMTવડોદરા : સ્માર્ટ સીટીના સ્માર્ટ વચનો પોકળ સાબિત થયા, પાણીની લાઇનમાં...
28 May 2022 10:33 AM GMT