ઉત્તરાયણની નવી ગાઈડલાઈન, લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય : ગુજરાત હાઇ કોર્ટ
BY Connect Gujarat8 Jan 2021 10:41 AM GMT
X
Connect Gujarat8 Jan 2021 10:41 AM GMT
ઉત્તરાયણ મુદ્દે હાઇકોર્ટમાં સરકારે જવાબ આપતા પોતાની ભૂલ સ્વીકારી છે. જેમાં સરકાર દ્વારા જણાવામાં આવ્યું કે કોરોનાકાળ દરમિયાન દિવાળીના તહેવારમાં છૂટછાટ આપવી એ ભૂલ હતી. સરકારે કોર્ટમાં જણાવ્યું કે એકવાર ભૂલ થઇ બીજી વાર ભૂલ નહીં થાય. દિવાળી વખતે બંદોબસ્તમાં ભૂલ થઇ હોવાનું પણ રાજ્ય સરકારે સ્વીકાર્યું. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણની ઉજવણીને લઇને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેને લઇને આજે સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં રાજ્ય સરકારે અંગે પોતાનો જવાબ રજૂ કર્યો છે.
ઉત્તરાયણને લઇને 108 દ્વારા એકશન પ્લાન તૈયાર કર્યો છે. 108ના કર્મચારીઓ ઉત્તરાયણના દિવસે તૈનાત રહેશે. 622 જેટલી એમ્બ્યુલન્સ વિવિધ જિલ્લાઓમાં કાર્યરત રહેશે. આ સાથે પક્ષીઓની મદદ માટે કરુણા અભિયાન કરવામાં આવશે. 50થી વધુ એમ્બ્યુલન્સ કરુણા અભિયાન માટે ફાળવવામાં આવશે.
Next Story