વડોદરા : કરજણ એપીએમસીમાં ખેડુતોએ કપાસ સળગાવ્યો, જુઓ શું છે કારણ

કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડુતોના કપાસની ખરીદી નહિ કરવામાં આવતાં ખેડુતોએ કપાસનો જથ્થો સળગાવી દઇ વિરોધ નોંધાવ્યો હતો. કપાસમાં વધારે ભેજ હોવાનું કારણ આગળ ધરી એપીએમસી સત્તાધીશોએ કપાસ ખરીદવાનો ઇન્કાર કરી દેતાં મામલો બિચકયો હતો.
કરજણ એપીએમસી ખાતે તાલુકાના વિવિધ ગામોમાંથી ખેડુતો તેમનો કપાસનો પાક વેચવા માટે આવ્યાં હતાં. કપાસમાં ભેજ વધારે હોવાનું જણાવી એપીએમસીના સત્તાધીશોએ કપાસ ખરીદવાનો ઇન્કાર કરતાં ખેડુતો રોષે ભરાયાં હતાં. ખેડુતોએ એપીએમસીના પરિસરમાં જ સુત્રોચ્ચાર શરૂ કરી હોબાળો મચાવ્યો હતો. આટલેથી નહિ અટકતાં ખેડુતોએ તેમની સાથે લાવેલાં કપાસના જથ્થાને સળગાવી દીધો હતો. ખેડુતોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ખરીદવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. જેમાં કરજણ ને સેન્ટર આપવામાં આવ્યું છે કરજણની જમીન કાળી હોવાના કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભેજનું બહાનું આગળ ધરી કપાસ લેવાતો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે ૫૫ થી ૬૦ ટ્રેક્ટર કપાસ ખરીદવામાં આવ્યો છે . ભેજવાળો કપાસ અમે ખરીદી નથી શકતા
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ નોંધાયા, 1082 દર્દીઓ થયા...
10 Aug 2022 4:23 PM GMTભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા...
10 Aug 2022 3:00 PM GMTસુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ...
10 Aug 2022 2:58 PM GMTભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર...
10 Aug 2022 12:38 PM GMTઅમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો...
10 Aug 2022 12:11 PM GMT