વડોદરા : પાણીગેટની અજબડી મિલ પાસે અચાનક મચી દોડધામ, જુઓ શું છે કારણ
BY Connect Gujarat28 Jan 2021 9:03 AM GMT
X
Connect Gujarat28 Jan 2021 9:03 AM GMT
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં સ્થિત અજબડી મીલ પાસે આવેલ ઠેકરનાથ સ્મશાન નજીકની ઝૂપડપટ્ટીના એક ઝુંપડામાં આજે સવારે આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી ફાયરફાયટર્સની ટીમે આગ પર કાબુ મેળવી લેતાં મોટી જાનહાનિ થતાં અટકી હતી.
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલાં ઠેકરનાથ સ્મશાન પાસે ઝુંપડપટ્ટી આવેલી છે. જેમાં એક ઝુંપડામાં આજરોજ સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં પાણીગેટ ફાયર સ્ટેશનના 3 ફાયરફાયટર્સની ટીમ સ્થળ પર પહોંચી હતી.
તાત્કાલિક પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો. ઝુંપડામાં રાખેલી ઘરવખરી બળીને રાખ થઇ ગઇ હતી પણ સદનસીબે આખી ઝુંપડપટ્ટી આગની ઝપેટમાં આવતાં બચી ગઇ હતી. શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાય રહયું છે..
Next Story