વડોદરા : નાગરવાડાના યુવાનની હત્યા બાદ મનપા દ્વારા મચ્છીપીઠ-તાંદલજામાં દબાણો પર ફેરવી દેવાયું બુલડોઝર

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા

New Update
  • ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાનો મામલો

  • શહેરના નાગરવાડા-મહેતાવાડી વિસ્તારમાં કાર્યવાહી

  • મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી

  • ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી દબાણો હટાવાય

  • લારીઓ તેમજ શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા

વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડી પાસે રહેતા ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે ઇસમો દ્વારા કરાયેલી હત્યાના પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મચ્છીપીઠ-નાગરવાડા રોડની લારીઓશેડ સહિતના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા કોર્પોરેશન દ્વારા અવારનવાર મચ્છીપીઠ સલાટવાડા-નાગરવાડા રોડ ઉપર સાંજ પડતાની સાથે જ ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ દૂર કરવામાં આવતી હોય છે. પરંતુ એકાદ દિવસ લારીઓ બંધ રહ્યા બાદ પુનઃ ચાલુ થઈ જતી હોય છેત્યારે વડોદરા મહાનગર સેવાસદનની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓઓટલાકાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા હતા.

જોકેદબાણ શાખાની ટીમ JCB, ડમ્પરો સાથે ત્રાટકતાની સાથે જ વિસ્તારના લોકો એકઠા થયા હતાજ્યાં દબાણો દૂર કરવા તેમજ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.