વડોદરા : નાગરવાડાના યુવાનની હત્યા બાદ મનપા દ્વારા મચ્છીપીઠ-તાંદલજામાં દબાણો પર ફેરવી દેવાયું બુલડોઝર

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા

New Update
  • ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાનો મામલો

  • શહેરના નાગરવાડા-મહેતાવાડી વિસ્તારમાં કાર્યવાહી

  • મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી

  • ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી દબાણો હટાવાય

  • લારીઓ તેમજ શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા

વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડી પાસે રહેતા ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે ઇસમો દ્વારા કરાયેલી હત્યાના પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મચ્છીપીઠ-નાગરવાડા રોડની લારીઓશેડ સહિતના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા કોર્પોરેશન દ્વારા અવારનવાર મચ્છીપીઠ સલાટવાડા-નાગરવાડા રોડ ઉપર સાંજ પડતાની સાથે જ ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ દૂર કરવામાં આવતી હોય છે. પરંતુ એકાદ દિવસ લારીઓ બંધ રહ્યા બાદ પુનઃ ચાલુ થઈ જતી હોય છેત્યારે વડોદરા મહાનગર સેવાસદનની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓઓટલાકાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા હતા.

જોકેદબાણ શાખાની ટીમJCB, ડમ્પરો સાથે ત્રાટકતાની સાથે જ વિસ્તારના લોકો એકઠા થયા હતાજ્યાં દબાણો દૂર કરવા તેમજ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.