પંચમહાલ : રાજ્યમાં પ્રથમ વખત 70 ફૂટની ઊંચાઈએ કરાયું મૃતદેહનું પોસ્ટમોર્ટમ

ગુજરાતમાં પહેલીવાર પોસ્ટમોર્ટમનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મેડિકલ સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મૂકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

New Update

ગુજરાતમાં પહેલીવાર પોસ્ટમોર્ટમનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મેડિકલ સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મૂકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

પંચમહાલના પાવાગઢ સુપ્રસિદ્ધ યાત્રધામમાં આવેલા ખુનીયા મહાદેવની તળેટીમાં પાંચ થી છ દિવસથી ગુમ થયેલા યુવાનનો આખરે મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે પાવાગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફની સરાહનીય કામગીરી સામે આવી છે. ગુમ થયેલા યુવાનની શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ મળ્યો હતો.જ્યાંથી મૃતદેહ મળ્યો તે જગ્યા જમીનથી 70 ફૂટથી વધારે ઉપર હતી. પોલીસે જાણ કરતા સફાઈ કામદારો તેમજ મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ડોક્ટર જીગ્નેશ પારગી 70 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. ઘરના સદસ્યોની હાજરીમાં ત્યાં જ અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી. પાવાગઢ સ્થાનિક સરપંચના પતિ રાજુભાઇ વરિયા તથા પોલીસ તથા ફાયર ફાઇટર તેમજ સફાઈ કામદારોની કામગીરીને લોકોએ બિરદાવી હતી ...

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.