વડોદરા:જુગાર ધામ પર નકલી પોલીસની રેડ, પોતાને બચાવવા જુગારી નદીમાં કુદ્યો અને મળ્યું મોત

નકલી પોલીસ બનીને આવેલા ઇસમોએ રેડ કરી હતી અને સ્થળ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રેડ બાદ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી.

New Update

વડોદરા નજીક ધમધમતા જુગારધામ પર ગતરોજ નકલી પોલીસ બનીને આવેલા ઇસમોએ રેડ કરી હતી અને સ્થળ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રેડ બાદ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી. જીવ બચાવવા ભાગેલ જુગારી નદીમાં તણાતા તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સમગ્ર મામલે ડેસર પોલીસ મથકમાં બે ઇસમો સામે ફરિયાદ નોંધાઇ છે.ડેસર પોલીસ મથકમાં ઇરફાનઅલીએ (ઉં. 32) (રહે. વચ્છેસર, ડેસર) (ધંધો-ખેતી) નોંધાવેલી ફરિયાદ અનુસાર, 7 ઓગ્સ્ટના રોજ તે અને તેનો મિત્ર લક્ષ્મી પેટ્રોલ પંપની પાછળ ચાલતા ડામરના પ્લાન્ટ નજીક કુણ નદિ કિનારે ગયા હતા.

ત્યાં જુગાર ચાલતો હતો. અહિં પરિચીત અયાનમહંમદ મકરાણી પણ ત્યાં હતો. તેની સાથે અન્ય પરિચીત તથા અજાણ્યા મળી 8 જેટલા લોકો ત્યાં હાજર હતા. દરમિયાન બપોરે અઢી વાગ્યે બાઇક પર બે ઇસમો આવ્યા હતા. જેમાંથી બાઇક ચલાવનાર નવઘણ કાળુભાઇ ભરવાડ અને તેની પાછળ કોઇ વ્યક્તિ બેઠી હતી. સ્થળ પર પહોંચી નવઘણ ભરવાડે કહ્યું કે, અમે પોલીસ છીએ, તમારી પર રેડ કરી પકડવાના છે.વધુમાં ફરિયાદ અનુસાર, જે બાદ તમામ ભાગ્યા હતા. બાઇક ચાલકે અયાનઅહંમદ તથા અન્ય પાછળ બાઇક દોડાવ્યું હતું.

ત્રણેય નદીના પટમાં આવેલા ઉંડા પાણીના પ્રવાહમાં પડ્યા હતા. આ બાદ બાઇક સવાર ત્યાંથી નાસી છુટ્યા હતા. નદીના પ્રવાહમાં પડેલા તમામ પૈકી અયાનમહંમદ બહાર આવી શક્યો ન હતો. આ વાતની જાણ સરપંચને થતા ફાયર બ્રિગેડ મારફતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે અયાનમહંમદ ઇમ્ત્યાઝમહંમહ મકરાણીમો મૃતદેહ મળી આવ્યો હતો.સમગ્ર મામલે ડેસર પોલીસ મથકમાં નવઘણભાઇ કાળુભાઇ ભરવાડ (રહે. વચ્છેસર, ડેસર) તથા અન્ય એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories