પાકિસ્તાનમાં વિનાશક પૂરના કારણે 1,300 લોકોના મોત, સેનાનું રાહત અભિયાન યથાવત...
પાકિસ્તાનમાં પૂરના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. દેશમાં મૃત્યુઆંક 1300ની આસપાસ પહોંચી ગયો છે. જોકે, પાકિસ્તાન સરકાર પણ પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત મદદ કરી રહી છે.
પાકિસ્તાનમાં પૂરના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. દેશમાં મૃત્યુઆંક 1300ની આસપાસ પહોંચી ગયો છે. જોકે, પાકિસ્તાન સરકાર પણ પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત મદદ કરી રહી છે.
પાકિસ્તાનમાં ભારે પૂર સતત તબાહી મચાવી રહ્યું છે. આ પૂરમાં જાનમાલને ઘણું નુકસાન થયું છે. સ્થિતિ એવી છે કે, પાકિસ્તાન સરકારે દુનિયાભરના દેશોને મદદ માટે અપીલ કરી છે. દરમિયાન, પાકિસ્તાનના વિનાશક પૂરને કારણે દેશમાં લગભગ 1,300 લોકો માર્યા ગયા છે, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેનાનું રાહત અભિયાન ચાલી રહ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ શનિવારે જણાવ્યું કે, પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે. આ સાથે, દેશમાં જૂનથી મૃત્યુઆંક વધીને 1,290 થઈ ગયો છે. દરમિયાન, પાકિસ્તાનની સરકારી એજન્સીઓ અને ખાનગી એનજીઓ પણ પૂર પ્રભાવિત વિસ્તારોમાં મદદ કરી રહી છે. હાલમાં, દેશનો મોટો હિસ્સો ડૂબી ગયો છે, ખાસ કરીને બલૂચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને સિંધ પ્રાંત સહિત દક્ષિણમાં. અહેવાલ મુજબ, સિંધમાં ઓછામાં ઓછા 180 લોકો માર્યા ગયા છે, ત્યારબાદ ખૈબર પખ્તુનખ્વા (138) અને બલૂચિસ્તાન (125) છે. આ ઉપરાંત, આ પૂરમાં ઓછામાં ઓછા 1,468,019 ઘરોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું છે, જ્યારે પૂરને કારણે 736,459 પશુધનના મોત થયા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ફ્રાન્સથી પ્રથમ માનવતાવાદી સહાય ફ્લાઇટ શનિવારે સવારે ઇસ્લામાબાદમાં ઉતરાણ સાથે ઘણા દેશોમાંથી સહાય મોકલવામાં આવી છે. નુકસાનનો પ્રારંભિક અંદાજ US$10 બિલિયન છે, પરંતુ હજુ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. ગરીબી નિવારણ અને સામાજિક સુરક્ષાના સંઘીય મંત્રી શાઝિયા મારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 723,919 પરિવારોને 25,000 રોકડ રાહત મળી છે, અને 18.25 અબજ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.