Breaking News: બિહાર :JDU-BJPના ગઠબંધનમાં ભંગાણ, નિતિશ કુમાર મહાગઠબંધન સાથે બનાવી શકે છે સરકાર !
બિહારમાં 5 વર્ષ બાદ નીતીશ કુમાર ફરી એકવાર પક્ષ બદલી શકે છે. ભાજપ સાથે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સીએમ નીતીશ કુમારે રાજ્યપાલ ફાગુ સિંહ ચૌહાણને મળવા માટે સમય માંગ્યો છે.
બિહારમાં 5 વર્ષ બાદ નીતીશ કુમાર ફરી એકવાર પક્ષ બદલી શકે છે. ભાજપ સાથે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સીએમ નીતીશ કુમારે રાજ્યપાલ ફાગુ સિંહ ચૌહાણને મળવા માટે સમય માંગ્યો છે. બપોરે 12.30 વાગ્યે મુખ્યમંત્રી કેટલાક JDU નેતાઓ સાથે રાજભવન જશે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમારની જેડીયુ અને આરજેડીમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ રહી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ગૃહ મંત્રાલયની માંગણી કરી છે. સાથે જ તેજ પ્રતાપને પણ સરકારમાં સ્થાન મળી શકે છે.
મંગળવારે ધારાસભ્યો અને સાંસદોની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. ધારાસભ્યોને મીડિયા સાથે વાત કરવા અથવા મીટિંગમાં ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.ભાજપ સરકાર બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી લીધી છે. શાહે સોમવારે મોડી રાત્રે લગભગ 6 મિનિટ સુધી નીતીશ કુમાર સાથે વાતચીત કરી હતી. વાતચીતમાં શું થયું એ હજુ જાણવા મળ્યું નથી