ખતરનાક આતંકવાદી હાફિઝ સઈદ અને સૈયદ સલાહુદ્દીન પર UAPA હેઠળ દાખલ થાય કેસ:NIA કોર્ટ
હાફિઝને 2008માં મુંબઈ આતંકી હુમલા માટે માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.
NIA કોર્ટે જાણ્યુ કે આતંકવાદી ભંડોળ માટેના નાણાં પાકિસ્તાન અને તેની એજન્સીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા અને રાજદ્વારી મિશનનો પણ નાપાક મનસૂબા પૂરા કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સીની કોર્ટે આજે શનિવારે લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન, યાસીન મલિક, શબ્બીર શાહ, મસરત આલમ સહિત અનેક કાશ્મીરી અલગાવવાદી નેતાઓની વિરૂદ્ધ UAPAની વિભિન્ન કલમો હેઠળ આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો છે.
હાફિઝને 2008માં મુંબઈ આતંકી હુમલા માટે માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. NIA કોર્ટે જાણ્યુ કે આતંકવાદી ભંડોળ માટેના નાણાં પાકિસ્તાન અને તેની એજન્સીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા અને રાજદ્વારી મિશનનો પણ નાપાક મનસૂબા પૂરા કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને ખતરનાક આરોપી તરીકે જાહેર કરાયેલા હાફિઝ સઈદ દ્વારા ટેરર ફંડિંગ માટે પણ ભારતને નાણાં મોકલવામાં આવ્યા હતા.
હાફિઝ સઈદ યુએન દ્વારા જાહેર કરાયેલ આતંકવાદી છે. અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. સઈદની આગેવાની હેઠળની જમાત-ઉદ-દાવા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું સંગઠન છે. લશ્કર-એ-તૈયબા 2008ના મુંબઈ આતંકી હુમલા માટે જવાબદાર છે. આ આતંકવાદી હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત 166 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ તેને ડિસેમ્બર 2008માં આતંકવાદી જાહેર કર્યો હતો.
NIA કોર્ટે જાણ્યુ કે આતંકવાદી ભંડોળ માટેના નાણાં પાકિસ્તાન અને તેની એજન્સીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા અને રાજદ્વારી મિશનનો પણ નાપાક મનસૂબા પૂરા કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સીની કોર્ટે આજે શનિવારે લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન, યાસીન મલિક, શબ્બીર શાહ, મસરત આલમ સહિત અનેક કાશ્મીરી અલગાવવાદી નેતાઓની વિરૂદ્ધ UAPAની વિભિન્ન કલમો હેઠળ આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો છે.
હાફિઝને 2008માં મુંબઈ આતંકી હુમલા માટે માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. NIA કોર્ટે જાણ્યુ કે આતંકવાદી ભંડોળ માટેના નાણાં પાકિસ્તાન અને તેની એજન્સીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા અને રાજદ્વારી મિશનનો પણ નાપાક મનસૂબા પૂરા કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને ખતરનાક આરોપી તરીકે જાહેર કરાયેલા હાફિઝ સઈદ દ્વારા ટેરર ફંડિંગ માટે પણ ભારતને નાણાં મોકલવામાં આવ્યા હતા.
હાફિઝ સઈદ યુએન દ્વારા જાહેર કરાયેલ આતંકવાદી છે. અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. સઈદની આગેવાની હેઠળની જમાત-ઉદ-દાવા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું સંગઠન છે. લશ્કર-એ-તૈયબા 2008ના મુંબઈ આતંકી હુમલા માટે જવાબદાર છે. આ આતંકવાદી હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત 166 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ તેને ડિસેમ્બર 2008માં આતંકવાદી જાહેર કર્યો હતો.