થાઈલેન્ડ પ્રવાસ પર વિદેશ મંત્રી જયશંકર, હિન્દુ મંદિરમાં કરી પૂજા.!
વિદેશ મંત્રી એસ જયશંકર થાઈલેન્ડની મુલાકાતે છે. ગુરુવારે એક હિંદુ મંદિરમાં પ્રાર્થના કરી.
BY Connect Gujarat Desk18 Aug 2022 11:10 AM GMT
X
Connect Gujarat Desk18 Aug 2022 11:10 AM GMT
વિદેશ મંત્રી એસ જયશંકર થાઈલેન્ડની મુલાકાતે છે. ગુરુવારે એક હિંદુ મંદિરમાં પ્રાર્થના કરી. જયશંકર ભારત-થાઈલેન્ડ સંયુક્ત આયોગની નવમી બેઠકમાં ભાગ લેવા માટે મંગળવારે થાઈલેન્ડ પહોંચ્યા હતા.
વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કર્યું, 'આજે બેંગકોકના દેવસ્થાનમાં પ્રાર્થના કરી. ફ્રા મહારાજગુરુ વિધિના આશીર્વાદ લીધા. તે આપણી સામાન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને રેખાંકિત કરે છે. આ મંદિર થાઈલેન્ડમાં હિન્દુ ધર્મનું સત્તાવાર કેન્દ્ર છે. મહારાજાગુરુ વિધિ થાઈ બ્રાહ્મણ સમુદાયના વડા છે.
આ મંદિર 'કોર્ટ બ્રાહ્મણો'નું નિવાસસ્થાન છે, જેઓ તમિલનાડુમાં રામેશ્વરમના પૂજારીઓના વંશજ છે. આ બ્રાહ્મણો દર વર્ષે થાઈલેન્ડના રાજવી પરિવાર માટે ઘણી મહત્વપૂર્ણ શાહી અને ધાર્મિક વિધિઓ અને સમારંભો કરે છે.
Next Story