Connect Gujarat
ગુજરાત

કચ્છ: આદિપુર ખાતે શિરડી સાંઈધામ મંદિરના લાભાર્થે ગીતા રબારીનો ભવ્ય લોકડાયરો યોજાયો

કચ્છ: આદિપુર ખાતે શિરડી સાંઈધામ મંદિરના લાભાર્થે ગીતા રબારીનો ભવ્ય લોકડાયરો યોજાયો
X

કચ્છનાં આદિપુર ખાતે શિરડી સાંઈધામ મંદિરના લાભાર્થે સુપ્રસિદ્ધ

ગાયક કલાકાર ગીતા રબારીનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો જેમાં દાતાઓએ ઘોરની સરવાણી

વહાવી હતી

અદિપુરના મૈત્રી ગ્રાઉન્ડ ખાતે એનકેટી ચેરીટેબલ ટ્રસ્ટ થાણા અને

સાઈ સેવા સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આદિપુર ખાતે સાઈબાબાનું મંદિર

બની રહ્યું છે. જેના લાભાર્થે આ ડાયરો યોજાયો હતો. ઉધોગપતિ નાનજીભાઈ ઠકકર

થાણાવાલાના સ્વ.પત્ની ધનલક્ષ્મીબેન ઠક્કરની સ્મૃતિમાં પ્રસિદ્ધ કલાકાર ગીતા

રબારીનો લોક ડાયરો યોજાયો હતો. આ લોકડાયરામાં રોણા શેરમાં,સાંઈબાબાના ભજન સહિત અનેક પ્રખ્યાત ગીતો રજુ કરીને

લોકોને જકડી રાખ્યા હતા.

નાનજીભાઈ ઠક્કર,ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના

પ્રમુખ દિવ્યાબા જાડેજા,મગનભાઈ ઠક્કર,હરશાનંદજી

મહારાજ,ગોવિંદભાઇ દનીચા સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો

ઉપસ્થિત રહ્યા હતા ઘોરની તમામ આવક સાંઈબાબાના મંદિરના વિકાસમાં ઉપયોગમાં લેવામાં

આવશેનું જણાવાયું હતું.

Next Story