ઝઘડીયા : કોરોના દૂર કરવા દત્ત બાવનીનું આયોજન , 9 દેશોમાં ભક્તોએ લીધો લાભ
ઝઘડિયાના ઉમલ્લાના યુવક દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી દૂર થાય તે માટે સોશીયલ મીડીયા દ્વારા કુલ 9 દેશોમાં વસવાટ કરતા રંગ પરિવારના ભક્તો સુધી દત્ત બાવની પહોંચાડવાનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રંગ પરિવાર સાથે જોડાયેલ ચિંતન પટેલ દ્વારા વિશ્વ અને દેશ માંથી કોરોનાની મહામારી દૂર થાય તે માટે અનોખો પ્રયોગ કરી સોશીયલ મીડીયાના ઉપયોગથી દેશ વિદેશના કૂલ 9 દેશોમાં વસવાટ કરતા રંગ પરિવારના ભક્તોને લાઇવ કોન્ફરસથી દત્ત બાવનીનું આયોજન કર્યું હતું. આ દત્ત બાવનીના પાઠનું પ્રસારણ કરાતા કુલ ત્રણ હજારથી વધૂ ભક્તોએ પોતાના ઘરે બેસીને લાભ લીધો હતો. તેમજ ચિંતન ભાઇ પટેલ દ્વારા સમગ્ર વિશ્વમાં વસેલા રંગ પરિવારના ભક્તો સુધી દત્ત બાવની પહોચાડવાનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો. સમગ્ર રંગ પરિવારના ભક્તોએ પોતાના ઘરે બેસીને દત્ત બાવનીના પાઠનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.