ભાવનગર: પરમવીર ચક્ર દ્વારા સન્માનિત યોગેન્દ્ર સિંહ યાદવ ઉપસ્થિતિમાં વિજય દિવસની કરાઇ ઉજવણી
BY Connect Gujarat17 Dec 2019 1:45 PM GMT
X
Connect Gujarat17 Dec 2019 1:45 PM GMT
ગત તારીખ ૧૬ ડીસેમ્બર ભાવનગર એસ પી કચેરી ખાતે વિજય
દિવસ ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ભાવનગર પોલીસ મહા અધિકક્ષક જયપાલસિંહ
રાઠોડ પરમવીર ચક્ર થી સન્માનિત યોગેન્દ્રસિંહ યાદવ વિકાસ પરિષદના પ્રમુખ અને માજી
સૈનિક એન.કે. શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર હલુરીયા ચોક ખાતે
આવેલ શહીદ સ્મારક શહીદને પુષ્પાંજલી અર્પણ કરી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
હતું. જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી તેમજ જન વિકાસ પરિષદ દ્વારા અખો દીવસ
દેશભક્તિના વિવિધ કાર્યોક્રમો યોજાયા હતા.
Next Story