વર્લ્ડકપ 2019 : આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો
BY Connect Gujarat2 July 2019 4:26 AM GMT
X
Connect Gujarat2 July 2019 4:26 AM GMT
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમ પાડોશી દેશની ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે. આજનો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ બન્ને માટે ખાસ મહત્વનો છે. આજની મેચ જીતીને ભારત સેમિ ફાઇનલમાં પ્રવેશશે તો વળી બાંગ્લાદેશની ટીમ ભારતને હરાવીને સેમિ ફાઇનલની રેસમાં ટકી રહેવા મરણીયો પ્રયાસ કરશે.
હાલમાં ભારતીય ટીમને સેમિ ફાઇનલ પ્રવેશ માટે કોઇ ખાસ દબાણ નથી કેમકે ભારત 7 મેચમાં 5 જીત સાથે 11 પૉઇન્ટ મેળવી ચૂક્યુ છે, અને રનરેટ પણ સારી છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ માટે આજનો મુકાબલો કરો યા મરો સમાન છે. બાંગ્લાદેશની ટીમ 3 જીત અને 3 હાર સાથે 7 પૉઇન્ટ સાથે છે. જો બાંગ્લાદેશની ટીમને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવવો હોય તો આજે ભારત અને આ પછીની પાકિસ્તાન સામેની મેચ જીતવી પડે તેમ છે.
Next Story