New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/IMG-20170911-WA0000.jpg)
અંકલેશ્વર શહેરની ગજાનંદ સોસાયટીમાં પટેલ પરિવાર ઘરનાં ઉપરનાં માળે નીંદરમાં હતો અને તસ્કરો ચોરીને અંજામ આપીને અંધારામાં ઓગળી ગયા હતા.
જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર શહેરની ગજાનંદ સોસાયટીનાં ઘર નંબર A - 29 - 1માં રહેતા કેતન રામદાસભાઈ પટેલ પરિવારજનો સાથે ઘરનાં ઉપરનાં માળે નિંદરમાં હતા, અને આ તકનો લાભ લઈને તસ્કરોએ તેઓનાં ઘરને નિશાન બનાવ્યું હતુ.તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. અને કબાટમાં મુકેલા સોના ચાંદીનાં દાગીના તેમજ રોકડ રૂપિયા મળીને અંદાજીત 2 લાખ કરતા પણ વધુની માલમત્તા ચોરી કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અંકલેશ્વર શહેર પોલીસે ચોરી અંગેની ફરિયાદ દર્જ કરવાની તજવીજ હાથધરી છે, અને તપાસ શરુ કરી છે.