New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/3f871bf9-8bd9-4eae-b1dd-821c3737ef84.jpg)
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની ખાડી માં જળચર જીવો ટપોટપ મોત ને ભેટતા શંકાસ્પદ ઘટના અંગે ગ્રામજનો માં રોષ ભભૂકી ઉઠયો હતો.
અંકલેશ્વરના કાપોદ્રા ગામની સીમમાંથી પસાર થતી પાણી ની ખાડી માં મૃત માછલીઓ મળી આવતા ગ્રામજનો એ ખાડી માં પ્રદુષિત પાણી ભળી ગયા હોવાની ફરિયાદ કરી હતી.
આ ઘટના અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ ની કચેરીમાં જાણ કરવામાં આવતા જીપીસીબી ના અધિકરીઓ એ ખાડી ના પાણી ના નમૂના લઈને પુથ્થકરણ માટે રવાના કર્યા હતા.