અમરેલી: જીતુ વાઘણીએ શામ પિત્રોડાના સર્જીકલ સ્ટ્રાઇકની પ્રતિક્રિયા મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

New Update
અમરેલી: જીતુ વાઘણીએ શામ પિત્રોડાના સર્જીકલ સ્ટ્રાઇકની પ્રતિક્રિયા મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

આજે અમરેલીના આંગણે આવેલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘણીએ શામ પિત્રોડાના સર્જીકલ સ્ત્રાઈક મુદ્દે પ્રતિક્રિયા આયતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસની આ વોટબેંકની રાજનીતિ કરે છે. શામ પિત્રોડા પર કેમ લગામ નથી લગાવતા લઘુમતી મતોના તૃષ્ટીકરણ કોંગ્રેસ કરી રહી છે. દેશને જવાબ કોંગ્રેસે આપવો પડશે શામ પિત્રોડા પ્લાન મુજબ બોલે છે. દેશદ્રોહીઓની ભાષા બોલે છે. તેમ કહીને વાઘણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી થી લઈને પ્રધાનમંત્રી મોદી અમરેલીમાં આવી ગયા છે. આખું ભાજપ અમરેલીમાં ઉંમટયું છે. જે અંગે વાઘણીએ પ્રતિક્રિયા આપતા ધાનાણી સામે પ્રતિક્રિયા આપતા ધાનાણી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મેઘા પાટકર થી લઈને નર્મદા વિરુદ્ધ આંદોલનમાં અર્જુન મોઢવાડીયા, રાજીવ સાતમ ને ધાનાણી પોતાના ધારાસભ્યો નથી સાચવી શકતા ને એ બિચારા બનીને ચૂંટણી લડવા માંગે છે. જસદણમાં આખું કોંગ્રેસ રોકાયું હતું. તમામ શેત્રે નિષ્ફળ નીવડેલ નેતૃત્વ પોતાની સીટ બચાવે તે પણ ઘણું છે.પરેશ સામે પડકાર ફેંકયો હતો રોતલ ચૂંટણી ન જીતી શકે ને રાહુલ જ્યા જાય ત્યાં ચૂંટણી કોંગ્રેસ હારે છે.