અરવલ્લીમાં વરસાદના પગલે શામળાજી ને.હા.નં-૮ પર ફરી વળ્યું પાણી, તો ક્યાંક રસ્તાઓ ધોવાયા

New Update
અરવલ્લીમાં વરસાદના પગલે શામળાજી ને.હા.નં-૮ પર ફરી વળ્યું પાણી, તો ક્યાંક રસ્તાઓ ધોવાયા

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી સતત વાદળ છાયું વાતાવરણ છવાયેલું છે. પરંતુ વરસાદ ના આવતાં વાતાવરણમાં ઉકળાટ વધ્યો છે. અસહ્ય ઉકળાટ વચ્ચે જિલ્લાવાસીઓ હેરાન-પરેશાન થઈ ચૂક્યાં હતા. જિલ્લાના વાતાવરણમાં ગત રાત્રીએ શરૂ થયેલા વરસાદ અને રથયાત્રાના દિવસે ઝરમર-ઝરમર સાર્વત્રિક વરસાદ બીજા દિવસે પણ યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોમાં આનંદ છવાયો હતો.આ સિવાય નેશનલ હાઈ-વે ઉપર પણ પાણી ભરાયા હતા.

Advertisment

અરવલ્લી જિલ્લા માં વરસાદી માહોલ જમ્યો છે. વહેલી સવારથી જિલ્લા માં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી નજીક રોડ પર પાણી ફરી વળતા અને પાણી ભરાતા વાહનચાલકો ને પણ મુશ્કેલી સર્જાઈ હતી. ધોળા દિવસે વાહન ચાલકો ને લાઈટો ચાલુ કરવી હતી. જિલ્લા ના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો હતો. અવિરત વરસાદને કારણે ક્યાંક રસ્તાઓનું ધવાણ થયેલું જોવા મળ્યું હતું. તો ક્યાંક પાણી ભરાયાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. વરસાદથી વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી તો ધરતી પુત્રોમાં ખુશાલી છવાઈ હતી.