આમોદનાં દલિત હોમગાર્ડ જવાનના વિવાદનો આવ્યો અંત

New Update
આમોદનાં દલિત હોમગાર્ડ જવાનના વિવાદનો આવ્યો અંત

આમોદનાં દલિત હોમગાર્ડ સાથે કરવામાં આવેલા અન્યાય બાદ ગાર્ડ અને તેઓના સમાજના લોકો દ્વારા આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામવવામાં આવ્યુ હતુ, જે લડતનો સુખદ અંત આવ્યો હતો.

આમોદનાં હોમગાર્ડ જવાન ગણપત જેઠાભાઇ મકવાણાને થયેલા અન્યાય સામે તેઓએ અગાઉ આવેદન પત્ર પાઠવીને પણ ન્યાય માટેની ગુજારીશ કરી હતી, પરંતુ કોઈજ કાર્યવાહી ન થતા તેઓની મદદે દલિત સમાજ આવ્યો હતો,અને આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામીને ન્યાયની માંગણી કરી હતી.publive-imageજેના ઘેરા પડઘા પડતા આખરે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિતેન્દ્ર ગાંધી તેમના સ્ટાફ સાથે આમોદ ખાતે દોડી આવ્યા હતા. અને ગણપત મક્વાણાને પારણા કરાવીને તેઓને આમોદ હોમગાર્ડના ઇન્ચાર્જનો ચાર્જ સુપ્રત કર્યો હતો, તેઓની આ લડતનો સુખદ ઉકેલ આવતા દલિત સમાજે ખુશી વ્યક્ત કરી હતી.

જ્યારે ગણપત મકવાણાને હોમગાર્ડનાં ઇન્ચાર્જ પદેથી દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે ધારાસભ્ય છત્રસિંહ મોરી પર પણ આક્ષેપો થયા હતા, જોકે છત્રસિંહ મોરીએ પણ હોમગાર્ડ જવાનને મળીને પોતાની પર લાગેલા આક્ષેપોનું ખંડન કર્યુ હતુ અને ખોટા અને ખોટા આક્ષેપોને રદિયો આપ્યો હતો.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.