આમોદના નાહિયેર ગામ ખાતે ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાયુ

New Update
આમોદના નાહિયેર ગામ ખાતે ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાયુ

આમોદનાં નાહિયેર ગામ ખાતે હનુમાનજી મંદિરનાં પટાંગણમાં જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા ભરૂચ દ્વારા સ્વાઈન ફલૂ પ્રતિ રોધક અમૃતપેય ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ કેમ્પનું આયોજન ડો. અલીમોહમદ અછવા મેડિકલ ઓફિસર પખાજણ દ્વારા કરવામાં આવ્યું હતુ. અને આ પ્રસંગે ડો. મનીષાબહેન વાઢીયા પણ હાજર રહ્યા હતા, અને હોમિયોપેથીક ડો. જયદિપ તલાટી તથા ડો. રિનાબહેન શાહએ હોમિયોપેથી દવાનું વિતરણ કર્યુ હતુ.

આ કેમ્પમાં આશરે કુલ 800 થી વધુ લોકોએ લાભ લીધો હતો.