આવનારી ચુંટણીને નહી,આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બજેટ બનાવાયુ છે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

New Update
આવનારી ચુંટણીને નહી,આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બજેટ બનાવાયુ છે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

આ બજેટ ટોકન નહી ટોટલ એપ્રોચ સાથે બનાવવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૧૯-૨૦ માટે સરકારના બજેટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવેલ છે. કે આ બજેટ 'ટોકન એપ્રોચથી ટોટલ એપ્રોચ' તરફ જઇને આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે.

આ બજેટમાં આવનારી પેઢીઓને ધ્યાને રાખી નવા ભારતનું સ્વપ્ન સાકાર કરવા દીશા નક્કી કરવામાં આવેલ છે. દેશમાં આર્ટીફિસીયલ ઇન્ટેલીજન્સી,ઇન્ટરનેટ ઓફ થીંગ્સ,લેસ-કેશઇકોનોમી,ઇલેક્ટ્રીસીટી માટે વન નેશન - વન ગ્રીડ,વોટર ગ્રીડ,રેલ ગ્રીડ,રોડ ગ્રીડ,સ્વચ્છ ભારત, પર્યાવરણ બચાવવાના પગલા,ઝીરો બજેટ ફાર્મીંગ,ક્લીન ઇકોનોમી આ તમામ પગલાં એક એવા ભારતનું નીર્માણ કરશે જેના માટે દરેક ભારતીયએ સ્વપ્ન સેવ્યું છે.

આ બજેટમાં 'ઇઝ ઓફ લીવીંગ'પર ભાર મુકેલ છે. ટોટલ એપ્રોચથી દેશના દરેક નાગરિક/પરિવારને વર્ષ-૨૦૨૨ સુધીમાં આવાસની સુવિધા સાથે વિજળી, રાંધણ ગેસ,ટોઇલેટ, પાણીની સુવિધા,મળે તે માટે જોગવાઈ કરેલ છે. ઇઝ ઓફ લીવીંગમાં, આથી આગળ વધીને સરકારી કામકાજમાં ઓનલાઇન ટેકનોલોજી,ઇન્કમટેક્ષ ઓફીસમાં ફેસલેસ કાર્યવાહી,જાહેર સુવિધામાં જેવીકે, રેલ્વે સ્ટેશન,બસ સ્ટેશન,વિગેરે સુવિધામાં બદલાવ લાવીને લોકજીવનની ગુણવત્તા સુધારવા કામ કરવામાં આવીરહેલું છે. આ બજેટમાં 'વુમન ડેવલોપમેન્ટ'ના સ્થાને 'વુમન લેડ ડેવલોપમેન્ટ'ની વાત કરવામાં આવી છે, તથા અનેક પગલાં ઉઠાવીને દેશનાં વિકાસ અનેઅર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર જોર આપીને મહત્વની જોગવાઇ કરવામાં આવી છે.

આજે પુરા વિશ્વમાં ભારતનો પ્રભાવ વધી રહ્યો છે. ૧૯૨ દેશમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી, ૪૦ થી વધુ દેશનાં ટોચનાં ગાયકો દ્વારા ગાંધી ૧૫૦ નીમીત્તે વૈષ્ણવજન ભજન ગાઇને અપાઇ રહેલી શ્રદ્ધાંજલિ વિગેરે ભારતનો વિશ્વમાં વધતો પ્રભાવ દર્શાવી રહેલ છે. ભારતની વિશ્વમાં હાજરી વધે તે માટે પાંચ દેશમાં નવી એમ્બેસી ખોલવામાં આવી રહી છે. આવા પાયાના મહત્વના નિર્ણયોથી ભવિષ્યનું નવું ભારત 'સશક્ત ભારત' બનશે, સ્વચ્છ અને ગ્રીન ભારત બનશે તેમાં કોઈ શંકા નથી તેમ મનસુખ માંડવિયાએ અંતમાં જણાવેલ છે.

Read the Next Article

LoC પર ગોળીબારમાં એક સૈનિક શહીદ, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન તરફથી થયેલી મોટી ઉશ્કેરણીમાં, પાકિસ્તાની સેનાના સમર્થિત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી

New Update
army

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન તરફથી થયેલી મોટી ઉશ્કેરણીમાં, પાકિસ્તાની સેનાના સમર્થિત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી, જેના કારણે નિયંત્રણ રેખા નજીક એક સૈનિક શહીદ થયો હતો, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, 12 ઓગસ્ટના રોજ મોડી રાત્રે ઘૂસણખોરોએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ નિયમિત ઘૂસણખોરીના પ્રયાસથી અલગ હતું, કારણ કે ઘૂસણખોરોને પાકિસ્તાની સેના તરફથી ગોળીબારનો ટેકો મળ્યો હતો. આવા ઘૂસણખોરીનો પ્રયાસ સામાન્ય રીતે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ્સ, પાકિસ્તાની સેનાના ડર્ટી ટ્રિક્સ વિભાગના સમર્થનથી કરવામાં આવે છે.

ભારતીય સૈનિકોએ ઘૂસણખોરીના પ્રયાસનો જવાબ આપતાં, ગોળીબાર શરૂ થયો અને એક સૈનિક ઘાયલ થયો. ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ઘૂસણખોરો ખરાબ હવામાનનો લાભ લઈને ભાગી છૂટવામાં સફળ રહ્યા. આ ઘટના અંગે સેનાના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

ઓપરેશન સિંદૂર પછીની અસ્વસ્થ શાંતિ પછી પાકિસ્તાન દ્વારા આ પહેલી મોટી ઉશ્કેરણી છે, પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતના લક્ષ્યાંકિત હવાઈ હુમલાઓ અને ભારતની પશ્ચિમી સરહદ પર પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ બાદ, ઇસ્લામાબાદ દ્વારા નવી દિલ્હીનો સંપર્ક કર્યા પછી બંને પક્ષો યુદ્ધવિરામ પર સંમત થયા હતા.

છેલ્લા બે મહિનાથી પાકિસ્તાની નેતાઓએ અવિચારી જાહેર નિવેદનો આપ્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે તાજેતરમાં ભારત પર પરમાણુ હુમલાની ધમકીઓ આપીને હેડલાઇન્સ બનાવી હતી. અમેરિકામાં બોલતા, મુનીરે ભારત સાથે ભવિષ્યમાં યુદ્ધમાં જો પાકિસ્તાનને અસ્તિત્વનો ખતરો આવે તો તે "અડધી દુનિયા" ને બરબાદ કરી દેશે તેવી ધમકી આપી હોવાના અહેવાલ છે.

ભારતે જવાબ આપ્યો કે "પરમાણુ હથિયારોનો ખતરો" એ પાકિસ્તાનનો "વેપારનો સ્ટોક" છે, અને દુ:ખ વ્યક્ત કર્યું કે આવી ટિપ્પણીઓ મિત્ર ત્રીજા દેશની ધરતી પરથી કરવામાં આવી હતી.

"આંતરરાષ્ટ્રીય સમુદાય આવી ટિપ્પણીઓમાં રહેલી બેજવાબદારી પર પોતાના નિષ્કર્ષ કાઢી શકે છે, જે એવા રાજ્યમાં પરમાણુ કમાન્ડ અને નિયંત્રણની અખંડિતતા અંગેના શંકાઓને પણ મજબૂત બનાવે છે જ્યાં લશ્કર આતંકવાદી જૂથો સાથે હાથ મિલાવી રહ્યું છે," સરકારે જણાવ્યું.

"ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે પરમાણુ બ્લેકમેલ સામે હાર માનશે નહીં અને તેની રાષ્ટ્રીય સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે," વિદેશ મંત્રાલયે જણાવ્યું.