કાનપુર નજીક ટ્રેન પાટા પરથી ઉતરી પડતા 40 થી વધુ લોકો ઘાયલ 

New Update
કાનપુર નજીક ટ્રેન પાટા પરથી ઉતરી પડતા 40 થી વધુ લોકો ઘાયલ 

અજમેર-સિયાલદહ એક્સપ્રેસ ના 15 ડબ્બા પાટા પરથી ઉતરી પડતા લગભગ 40 થી વધુ લોકો ગંભીર પણે ઘાયલ થયા હતા.

આ દુર્ઘટના કાનપુર થી 50 કિમી દૂર રૂરા નજીક લગભગ સવારના 5:20 વાગ્યાની આસપાસ બની હતી.

આ ઘટનાની જાણ થતા રેલવે , પોલીસ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ તેમજ રાહતની કામગીરી હાથ ધરી હતી.

ગંભીર ઇજાગ્રસ્તોને કાનપુર જિલ્લા હેડક્વાર્ટર ખાતે તેમજ અન્ય ઘાયલોને રૂરાના કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉત્તર રેલવે વિભાગ દ્વારા ઘટનાસ્થળે મેડિકલ ટ્રેન લખનઉથી રવાના કરવામાં આવી હતી.

સૂત્રીય માહિતી અનુસાર આ ઘટના બાદ અન્ય મુસાફરોની યાત્રા માટે લગભગ 12 જેટલી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા, ઉપરાંત રેલવેતંત્ર દ્વારા ઘટના બાદ કાનપુર , લખનઉ અને હૈદરાબાદના હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યા છે.

રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ વરિષ્ઠ અધિકારીઓને આ અંગેની ઉંડાણમાં તપાસ કરવાનો આદેશ પણ આપ્યો હતો

Read the Next Article

હિમાચલ પ્રદેશ: પૂર્વ સીએમ જયરામ ઠાકુરે પીએમ મોદીને મળ્યા,આપત્તિથી થયેલા નુકસાન વિશે માહિતી આપી

પ્રધાનમંત્રીએ આપત્તિથી થયેલા નુકસાન વિશે વિગતવાર માહિતી લીધી અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ અને પુનર્વસનમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી.

New Update
Jairam Thakur

હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરે સોમવારે (28 જુલાઈ) દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. જયરામ ઠાકુરે પીએમને મળ્યા અને તેમને હિમાચલ પ્રદેશના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાન વિશે માહિતી આપી

પ્રધાનમંત્રીએ આપત્તિથી થયેલા નુકસાન વિશે વિગતવાર માહિતી લીધી અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ અને પુનર્વસનમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી.

જયરામ ઠાકુરે કહ્યું કે અમે પ્રધાનમંત્રીને કહ્યું કે આ આપત્તિમાં લોકોના ઘરો જ નહીં પરંતુ તેમની જમીનો પણ ધોવાઈ ગઈ છે, હવે તેમની પાસે ઘર બનાવવા માટે પણ જગ્યા નથી. આવી સ્થિતિમાં, અમે તેમને જમીન આપવા માટે 'વન સંરક્ષણ કાયદા'માં છૂટછાટ આપવા વિનંતી કરી. ઉપરાંત, અમે પુનર્વસન અને પુનર્નિર્માણ માટે 'વિસ્તાર વિશિષ્ટ' રાહત પેકેજ આપવા વિનંતી કરી છે.

પ્રધાનમંત્રીને હિમાચલ પ્રદેશમાં વારંવાર બનતી કુદરતી આફતોના કારણોનો અભ્યાસ કરવા પણ વિનંતી કરવામાં આવી હતી. જેથી ભવિષ્યમાં થતા નુકસાનને ટાળી શકાય. આપત્તિ દરમિયાન રાહત અને બચાવ કાર્યમાં શક્ય તમામ સહયોગ આપવા બદલ પ્રધાનમંત્રીનો પણ આભાર માનવામાં આવ્યો.

Latest Stories