ખેડા : મહેમદાવાદમાં ખેડૂતોને આવ્યો ઝેર પીવાનો વારો, નથી થયો ખેડૂતોનો સર્વે

New Update
ખેડા : મહેમદાવાદમાં ખેડૂતોને આવ્યો ઝેર પીવાનો વારો, નથી થયો ખેડૂતોનો સર્વે

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડુતોના પાકને થયેલ નુકશાન પેટે સરકારે 700 કરોડની સહાયની જાહેરાત કરી છે. પરંતુ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખેડુતો આ સહાય થી વંચીત રહેશે.

Advertisment

એક તરફ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 700 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી વરસાદમાં નુકસાન ગયું છે તેવા ખેડૂતોને સાંત્વન આપવામાં આવી રહી છે. તો બીજી તરફ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખેડૂતોને થયેલા નુકસાનનો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો જ નથી. જેના કારણે મહેમદાવાદ તાલુકાના ખેડૂતોને ઝેર પીવાનો વારો આવ્યો છે. ખેડા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મહેમદાવાદ તાલુકાના ગામડાઓમાં નુકશાનીનો સર્વે કર્યો જ નથી, જેના કારણે ખેડુતોને સરકાર તરફથી જાહેર કરેલ વળતરનો લાભ મળશે નહી. મહત્વની વાત છે કે મહેમદાવાદ તાલુકાના ભાજપના ધારાસભ્ય અર્જુનસિહ ચૌહાણે આ બાબતે કૃષી મંત્રીને પણ રજુઆત કરી હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી દેવાઇ ત્યાં સુધી સમગ્ર તાલુકામાં સર્વે હાથ ધરાયો નથી. ખેડુતોનું કહેવું છે કે આ બાબતે તેઓએ ખેતીવાડી અધિકારીને વાત કરી તો તેઓએ જણાવ્યુ હતુ કે તમારા તાલુકામાં ઓછો વરસાદ થયો હોવાથી સર્વે કરવામાં આવ્યો નથી..

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment