જાણો વિશ્વના સૌથી વધુ મંદિરો ધરાવતા પર્વત વિશે

New Update
જાણો વિશ્વના સૌથી વધુ મંદિરો ધરાવતા પર્વત વિશે

ભારત એ ભાતીગઢ સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતો દેશ છે જેમાં દરેક ધર્મને એક સરખું મહત્વ આપવામાં છે.

Advertisment W3.CSS

ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિરો પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. પાલીતાણાના શેત્રુજય પર્વત પર આવેલા 853 થી વધુ જૈન મંદિરો વિશ્વનું સૌથી મોટુ મંદિર સંકુલ ગણવામાં આવે છે આટલો મોટો મંદિરોનો સમૂહ બીજે ક્યાંય નથી.

aadinath

જાણવા મળ્યા મુજબ આ મંદિરોની સ્થાપના 900 વર્ષ પૂર્વે એટલે કે 11 મી સદીમાં ઘણા અનુભવી કારીગરો દ્વારા બાંધવામાં આવ્યા હતા જ્યા જૈન ધર્મના 24 તીર્થંકરો માંથી નેમિનાથ સિવાયના 23 તીર્થંકરોએ મુલાકાત લીધી હોવાનું માનવામાં આવે છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથે આ સ્થળે ધ્યાન કર્યું હતુ. ત્યારબાદ અહીં મંદિરો બાંધવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

palitana_slideshow

અહીંના મંદિરો આરસના પથ્થરોમાંથી સુંદર કોતરણી કામ કરીને બનાવવામાં આવ્યા છે જેમાં સૌથી મહત્વનું મંદિર આદિનાથનું છે.દરેક જૈન શ્રદ્ધાળુ મંદિરોની પવિત્રતાને કારણે જીવનમાં એક વખત અહીં આવે છે.તેની નજીકમાં એક મુસ્લિમ સંત (પીર) ની દરગાહ પણ આવેલી છે જ્યાં લોકો બાળકોની માનતા માટે આવે છે.

main-image_jain-temples-mount-shatrunjaya-palitana-gujarat

ફાગણ સુદ તેરસ, કારતકની પૂર્ણિમા, મહાવીર જ્યંતિ અહીં શ્રદ્ધાળુઓ દ્વારા ખુબ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે.