ઝઘડીયાનાં તલોદરા ગામ ખાતે સ્વાઈન ફલૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાયુ

New Update
ઝઘડીયાનાં તલોદરા ગામ ખાતે સ્વાઈન ફલૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાયુ

ઝઘડીયા તાલુકાનાં તલોદરા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ દ્વારા સ્વાઈન ફલૂ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

તલોદરા ગામનાં અગ્રણી રવજીભાઈ વસાવા, અને તેમના પુત્ર ટીનાભાઇ વસાવાનાં સહયોગ થી ગ્રામજનોને નિઃશુલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ, જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.publive-imageઆ પ્રસંગે કામદાર સમાજનાં આગેવાન એડવોકેટ ડી.સી.સોલંકી, રજનીશ સિંહ તથા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિનાં મુકેશભાઈ ભગત તથા ઉર્મિલાબેન ભગત, અશોકભાઈ, કલ્પેશભાઈ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.