નર્મદાના નીર ઓસરી જતાં દશામાની પ્રતિમાઓ કિનારા પર રઝળી પડી

ભરૂચમાં નર્મદા નદીના નીર ઓસરી જતાં રવિવારના રોજ પાણીમાં વિસર્જીત કરાયેલી દશામાની પ્રતિમાઓ કિનારા પર રઝળી પડી હતી. કેટલાક સેવાભાવી યુવાનોએ પ્રતિમાઓને ફરીથી વિસર્જીત કરી હતી. શ્રધ્ધાળુઓ હવે પીઓપીના બદલે માટીની મૂર્તિઓ તરફ વળે તે જરૂરી બની ગયું છે.
નર્મદા નદી માં સરદાર સરોવર ડેમમાંથી ૬ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં નદી બે કાંઠે થઈ હતી.જે ધસમસતા પાણીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની દશામાંની પ્રતિમાઓ વિસર્જિત કરાઈ હતી. નદીની જળ સપાટી માં ઘટાડો થતાં પ્રતિમાઓ બહાર ઉપસી આવી હતી.જે કાંઠા પર પર રહેલી પ્રતિમાઓ ને પુનઃ વિસર્જિત કરાઈ હતી.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ની જળ સપાટી માં સતત વધારો થતા ૧૩૧ મીટરની સપાટી વટાવી દેતા ડેમ ઓવરફ્લો થયા તે પહેલા જ ડેમ ના ૨૬ દરવાજા ખોલી નાખવામાં આવતાં નદી બે કાંઠે વહેતી થઇ છે. નદીની વધેલી સપાટી વચ્ચે મા દશામાની પ્રતિમાઓનું રવિવારના રોજ વિસર્જન કરાયું હતું. 10 દિવસ સુધી દશામાની ભકિત અને આસ્થા સભર માહોલમાં દશામાનું વ્રત ઉજવાયું હતું. ડેમમાંથી આવતા પાણીનો આવરો ઘટી જતાં નર્મદાના નીર ઓસરી રહયાં છે. સોમવારના રોજ ભરૂચના કાંઠે દશામાની વિસર્જીત કરાયેલી પ્રતિમાઓ કિનારા પર રઝળતી જોવા મળી હતી. કેટલીક પ્રતિમાઓ ને કેટલાક લોકો એ વહેતા પાણીમાં પુનઃ વિસર્જિત કરી હતી.ત્યારે ભક્તોએ પણ હવે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ નો બહિષ્કાર કરી ઈકો ફ્રેન્ડલી તેમજ માટીની પ્રતિમાઓ ની સ્થાપના કરવાની જરૂર જણાઈ રહી છે.તંત્ર માત્ર પ્લાસ્ટર ઓફ પેરિસ ની પ્રતિમા ઉપર પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડી સંતોષ માણી લેતા હોય છે.પરંતુ પલસાટર ઓફ પેરિસ ની પ્રતિમા બનાવતા મૂર્તિકારો સામે દંડનીય કાર્યવાહી કરશે તો આવનાર સમયમાં લોકો ઈકો ફ્રેન્ડલી તેમજ માટી ની અન્ય દેવો ની પ્રતિમાઓની સ્થાપના કરી ધાર્મિક ઉત્સવો ની ઉજવણી કરશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMT