નવસારી : ધોળાપીપળાના ગામની હરિકૃષ્ણ હોટલ પાસે થયો ગમખ્વાર અકસ્માત, 6ના મોત  

New Update
નવસારી : ધોળાપીપળાના ગામની હરિકૃષ્ણ હોટલ પાસે થયો ગમખ્વાર અકસ્માત, 6ના મોત  

નવસારીના નેશનલ હાઇવે -૪૮ પર આવેલ ધોળાપીપળાના ગામની હરિકૃષ્ણ હોટલ પાસે થયો ગમખ્વાર અકસ્માતમાં ૩ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમજ અન્ય ૩ લોકોના સારવાર દરમયાન મોત થતા પરિવારોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

સુરતના વેસુગામની નંદિની -૩ સોસાયટીના રહીશો ચેત્ર નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતાજીના દર્શને ગયા હતા. જેમાં દહાણુના મહાલક્ષ્મી માતાજી અને વલસાડના વિશ્વમ્ભરી માતાજીના દર્શને ગયા હતા. જ્યાં પરત વળતી વખતે ટેમ્પો ટ્રાવેલ્સમાં પંચર પડતા ટેમ્પો ટ્રાવેલ્સ સાઈડમાં પાર્ક કરીને ટાયર બદલવાનું કામ ચાલતું હતું તે સમયે કાળમુખુ કન્ટેનર ટેમ્પો ટ્રાવેલ્સને પાછળથી ટક્કર મારતા ૩ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અને અન્ય ૩ લોકોના સારવાર દરમ્યાંન મોત થયું હતું અને હજી ૬ લોકોની હાલત ગંભીર થતા સારવાર હેઠળ છે. જેમાં ૪ લોકોનો આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કન્ટેનરના ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ઘટનાની જાણકારી નવસારીના ધારાસભ્યને થતા પરિવારની પડખે ઉભા રહ્યા હતા.

મૃતકના નામ.

૧) ચંપાબેન કે લીમ્બાચીયા

૨).લતાબેન પટેલ

૩) રમીલાબેન

૪) રમણભાઈ.પટેલ.

૫) સવિતાબેન

Read the Next Article

ભરૂચ : પાલેજ પોલીસે કન્ટેનરમાં કતલખાને લઇ જવાતી 24 ભેંસ મુક્ત કરાવી, રૂ.8.88 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચની પાલેજ પોલીસને બાતમી મળી હતી કે વલણ ગામથી એક કન્ટેનર ટ્રક નંબર જીજે-૧૬-એ.વી.- ૨૯૨૦માં  બાખડી વસુકી ગયેલ ભેંસો ભરી વ્યારા તરફ કતલ માટે લઈ

New Update
MixCollage-13-Aug-2025-09-37-AM-8949
ભરૂચની પાલેજ પોલીસને બાતમી મળી હતી કે વલણ ગામથી એક કન્ટેનર ટ્રક નંબર જીજે-૧૬-એ.વી.- ૨૯૨૦માં  બાખડી વસુકી ગયેલ ભેંસો ભરી વ્યારા તરફ કતલ માટે લઈ જાય છે તે દરમ્યાન વલણ ફાટક પસાર કરી એક કન્ટેનર ટ્રકનો ચાલક તેની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા કન્ટેનર ટ્રકને હાથી ઇશારો તથા ટોર્ચની લાઇટ વડે ઇશારો કરતા કન્ટેનર ચાલકે તેનુ કન્ટેનર રોડની સાઇડ ઉપર કરતા કન્ટેનરમાંથી બાખડી વસુકી ગયેલ ભેંસો નંગ-૨૪ ખીચોખીચ અને અતિક્રુરતાપુર્વક ટુંકા ટુંકા દોરડા વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી હેરફેર કરતા હોય પોલીસે ભેંસો નંગ-૨૪ કિ.રૂ. ૩,૬૦,૦૦૦/- તથા ટ્રકની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા અંગઝડતીનાં મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૫૫૦૦/- તથા રોકડા રૂપિયા-૧૨,૯૦૦/મળી કુલ કિ.રૂ. ૮,૮૮,૪૦૦/- નાં મુદ્દામાલ સહિત કુલ -ત્રણ આરોપીઓ આમીનખાન અબુ મોહમંદ શેખ ઉ.વ- ૪૦ રહે. ગોકુળ નગર, ઘર નં. એલ/૧૮, ડી.એસ.પી. ઓફિસ પાસે ભરૂચ, યાસીન ઉસ્માન માલા ઉ.વ. ૩૪ રહે. વલણ ગામ, પંજાબ નગર, બી.પી.એલ. ફળીયુ તા. કરજણ જી. વડોદરા અને પરવેઝ સિંધી રહે, વલણ ગામ, તા. કરજણ જી. વડોદરાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.