ભરૂચ: પાલેજ નજીક હોટલ પંચવટીમા મગર આવી ચઢતા હાથ ધરાયું રેશ્ક્યુ
BY Connect Gujarat25 Sep 2019 7:56 AM GMT

X
Connect Gujarat25 Sep 2019 7:56 AM GMT
આજ રોજ સવારે ૮:૩૦ વાગ્યાના સુમારે ભરૂચના પાલેજ નજીક આવેલા હોટલ પંચવટીમા વન્યજીવ મગર આવી જતા તેની જાણ હોટલના માલીક દ્વારા વનવિભાગને કરવામા આવી હતી.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="112653,112654,112655,112656"]
ત્યારબાદ વનવિભાગના આરએફઓ મહેન્દ્રસિંહ કઠવાડીયા તેમજ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ન તથા કામધેનુ ગૌરક્ષા સમિતિ તેમજ અંકલેશ્વરના જિવદયા પ્રેમિ સંજય પટેલને જાણ કરતા ઘટના સ્થળે પંહોચી ૫ ફુટ લાંબા વન્યજીવ મગરને રેસ્કયુ કરવામા આવ્યો હતો.
જોકે આ મગર હાઇવે ઉપરની હોટલ સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ તપાસનો વિષય છે. હાલમા તો આ મગરને વનવિભાગ સ્થિત રેવા નર્સરી નિલકંઠેશ્વર ભરૂચ ખાતે ઓબર્ઝવેશનમાં રાખવામા આવેલ છે.તેના ફિટનેશ ચેકઅપ બાદ તેને સરદાર સરોવરના ક્રોક હેબિટેટ એરિઆમાં મુકત કરવામાં આવશેનું જાણવા મળી રહ્યું છે.
Next Story