ભરૂચ: શુકલતીર્થ ખાતે યોજાયો મેગા લીગલ સર્વિસીસ કેમ્પ

New Update
ભરૂચ: શુકલતીર્થ ખાતે યોજાયો મેગા લીગલ સર્વિસીસ કેમ્પ

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી,નવી દિલ્હીના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચના શુકલ્તીર્થ મુકામે એક મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

આ કેમ્પમાં સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડીયાના માનનીય ન્યાયમુર્તિ એમ.આર-શાહ, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના પેટ્રન ઈન ચીફ વિકમનાથ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના એકઝીક્યુટીવ ચેરમેન એસ બ્રહ્મભટ્ટ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ અને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસીસ ઓથોરીટીના ચેરમેન શ્રી આર.એમ. છાયા, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને ભરૂચ જીલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જજ એન.વી. અંજારીયા તથા ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ એ.જે. શાસ્ત્રી હાજર રહયા હતા. આ ઉપરાંત ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી વિમલ કે. વ્યાસ તથા પ્રોજેકટ ઓફીસસો રીતેશ મોઢ અને વૈભવ મોઢેએ પણ હાજર રહી સતત માર્ગદર્શન પૂરૂં પાડયુ હતું.

આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પના ઉપકમે ભરૂચ જીલ્લાના વિવિધ તાલુકાઓના કુલ ૨૮૧૨ જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ખેતીવાડી શાખા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નાયબ નીયામક અનુસુચિત જાતી કલ્યાણ, પ્રાયોજના વહીવટદારની કચેરી, વિવિધ તાલુકાની મામલતદારે કચેરીઓ, ભરૂચ નગરપાલિકા, પુરવઠા શાખા, તાલુકા હેલ્થ કચેરીઓ વિગેરે અનેક શાખાઓ દ્વારા આ લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ હેઠળ લાભ આપવામાં આવ્યો હતો. આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન લાભાર્થીઓ સ્વાવલંબી બની આત્મગૌરવથી જીવન જીવી શકે તેવા ઉમદા હેતુ માટે કરવામાં આવ્યું હતું.

આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પને સફળ બનાવવા માટે ભરૂચ જીલ્લાના કલેકટર ડો. એમ.ડી. મોડીયા તેમજ કલેકટર કચેરી ભરૂચ તથા ભરૂચ જીલ્લાની તમામ વહીવટી શાખાઓના પદાધિકારીઓ, ડી.ડી.ઓ. અરવિંદ વિજયન, પ્રાંત અધિકારી જે.વી. દેસાઈ, જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા સમગ્ર જીલ્લાનો પોલીસ સ્ટાફ, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસર સંજય સોની તથા ભરૂચ નગરપાલિકાના સ્ટાફના સભ્યો, જીલ્લા સરકારી વકીલ પ્રફુલ્લસિંહ એન. પરમાર, પી.ડબ્લ્યુ.ડી. ના ડી.એફ. શાહ, અનિલ વસાવા તથા સાગરભાઈ, પી.ડબ્લ્યુ.ડી. ઈલેકટ્રીક ડીપાર્ટમેન્ટના મયુરીબેન, શુકલતીર્થ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા પ્રજાજનોએ ખુબ મોટો ફાળો આપ્યો હતો.

આ ઉપરાંત ભરૂચ જીલ્લાની તમામ કોર્ટના કર્મચારીઓએ, પેરાલીગલ વોલન્ટરીયર્સે પણ આ કેમ્પને સફળ બનાવવા માટે ખડે પગે ખંતથી સેવા બજાવી હતી.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી: પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું

New Update
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથેજ દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

Advertisment

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસે છે.

Advertisment
Latest Stories