મક્કમ મનોબળ સાથે જન્મજાત નબળા અસ્થિનો દર્દી આપી રહ્યો છે ધોરણ ૪ માં પ્રવેશ લેવા ધોરણ ૩ની પરિક્ષા

New Update
મક્કમ મનોબળ સાથે જન્મજાત નબળા અસ્થિનો દર્દી આપી રહ્યો છે ધોરણ ૪ માં પ્રવેશ લેવા ધોરણ ૩ની પરિક્ષા

કીમ એજ્યુકેશન સોસાયટીની પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ પ્રાથમિક શાળામાં ધોરણ ૪ માં પ્રવેશ લેવા માટે ધોરણ 3ની પરીક્ષા આપી રહ્યો છે પ્રિન્સકુમાર દિલીપભાઈ મંત્રી.

Advertisment

ચિરંજીવી પ્રિન્સ જન્મજાત નબળા અસ્થિનો દર્દી છે. એના હાડકા એટલા નબળા છે કે જરાક ઠોકર લાગે અને ભાંગે. પ્રિન્સના પગના અને હાથના હાડકા ચપટા થઈ ગયા છે. પરંતુ એનું મન અને હૃદય સાબૂત છે અને સક્રિય છે. સ્કૂલમાં ગયા વગર જ ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસક્રમ ઘરેજ એની માતાના સહયોગથી સરસ રીતે પૂર્ણ કર્યો છે. હવે પ્રિન્સ ચોથા ધોરણથી રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ભણવા માંગે છે. એટલે ધોરણ 3ની પરીક્ષા આપી રહ્યો છે.

આચાર્ય મંગળાબેનની ઓફિસમાં જ શેટી પર સૂતો સૂતો પ્રિન્સ બધી રીતે સ્વસ્થ વિદ્યાર્થીઓને શરમાવે એવી તેજસ્વીતા સાથે પેપર લખી રહ્યો છે. દરરોજ એક પેપરની પરીક્ષા આપતો પ્રિન્સ અપાઇ ચુકેલી પરીક્ષામાં એ વન ગ્રેડ માં આવી રહ્યો છે. આજે ૩૦મી ઓગસ્ટે કીમ એજ્યુકેશન સોસાયટીમાં પધારેલા કેળવણીકાર વિજયભાઈ સેવક પણ પ્રિન્સ દિલીપભાઈ મંત્રીની તેજસ્વિતા થી પ્રભાવિત થયા હતા.

Advertisment
Read the Next Article

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ, સક્રિય કેસ 10 લાખથી વધુ છે

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે, ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

Advertisment

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

 જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ દાખલ છે તેમજ 490 હોમ આઈસોલેશન છે. 72 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં અત્યારે કોરોનાના નવા 61 કેસ એક્ટિવ છે. જે 61 માંથી 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે 43 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

 

 

Advertisment
Latest Stories