મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન

New Update
મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન

વડાપ્રધાન સહિતના દિગ્ગજોએ સંબોધી હતી જાહેરસભાઓ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે 21મીના રોજ મતદાન થવા જઇ રહયું છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાની તમામ તાકાત ઝિકી દીધી હતી.

પ્રચાર પડઘમ શાંત થઇ ગયાં બાદ હવે બિન-જિલ્લાઓ અથવા પ્રદેશોમાંથી પ્રચાર માટે આવેલા નેતાઓ જિલ્લા છોડી પરત ફર્યા છે. પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદીએ હરિયાણામાં ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રેલી યોજી હતી. કોંગ્રેસે પણ રાહુલ ગાંધી સહિતના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળી ચૂંટણી લડી રહયાં છે અને તેમનો સીધો મુકાબલો ભાજપ અને શિવસેનાના ગઠબંધન સાથે છે. મહારાષ્ટ્રમાં હાલ ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર છે.

હરિયાણાની 90 બેઠકો માટે મતદાન

હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે. રાજ્યની 90 બેઠકો પરથી 1168 ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. આ વખતે ભાજપે આક્રમક રીતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના સરકારના નિર્ણયને મુદો બનાવ્યો હતો. સત્તા પરત મેળવવા કોંગ્રેસે પણ સંપૂર્ણ બહુમતીના લક્ષ્યાંક સાથે પ્રચાર કર્યો હતો.કોંગ્રેસે પણ મનોહર લાલ ખટ્ટર અને મોદી સરકારની નિષ્ફળતાઓ અને અસફળ નીતિઓને મુદ્દો બનાવ્યો હતો.

મહારાષ્ટ્રની 288 બેઠકો માટે મતદાન થશે

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આવતી કાલે એટ્લે કે 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે. આ બેઠકો પરથી કુલ 3237 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન સત્તા પર કાયમ રહેવા, જ્યારે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના ગઠબંધને પાંચ વર્ષ પછી ફરીથી સત્તા મેળવવાની ઇચ્છાએ પ્રચાર દરમિયાન પૂરું જોર લગાવી દીધું છે. શરદ પવારે વૃદ્ધાવસ્થા છતાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ પોતાના હાથમાં રાખ્યું હતું.

17 રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓની સાથે 17 રાજ્યોની 64 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે. જેમાં કર્ણાટકમાં 15, ઉત્તર પ્રદેશમાં 11, કેરળ અને બિહારમાં પાંચ, ગુજરાત, આસામ અને પંજાબમાં ચાર-ચાર, સિક્કિમમાં ત્રણ, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાનમાં બે-બે, અને અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ , મેઘાલય, ઓડિશા અને પુડુચેરીમાં એક-એક બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો પર પણ 21 ઓક્ટોબરે મતદાન યોજાશે, જેના માટે પ્રચાર બંધ થઈ ગયો છે. બંને રાજયોની ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરે સામે આવશે.

Read the Next Article

'આધાર, રેશનકાર્ડ, મતદાર ઓળખપત્રને પુરાવા તરીકે ગણો', બિહારમાં મતદાર યાદી સુધારણા અંગે સુપ્રીમ કોર્ટનું સૂચન

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એવું પણ સૂચન કર્યું છે કે તેણે આ પ્રક્રિયામાં આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મતદાર ઓળખપત્રને પણ પુરાવા તરીકે ગણવા જોઈએ.

New Update
Supreme Court

સુપ્રીમ કોર્ટે બિહારમાં મતદાર યાદી સુધારણાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. એટલે કે, બિહારમાં મતદાર યાદી સુધારણાનું કાર્ય હાલ પૂરતું ચાલુ રહેશે. આ સાથે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એવું પણ સૂચન કર્યું છે કે તેણે આ પ્રક્રિયામાં આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મતદાર ઓળખપત્રને પણ પુરાવા તરીકે ગણવા જોઈએ. ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે આ મામલાની સુનાવણી કરી. હવે આગામી સુનાવણી 28 જુલાઈએ થશે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, "અમે પ્રથમ દ્રષ્ટિએ માનીએ છીએ કે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારણા દરમિયાન આધાર, મતદાર ઓળખપત્ર, રેશનકાર્ડને દસ્તાવેજો તરીકે ગણી શકાય." સુપ્રીમ કોર્ટે કહ્યું કે 10 વિપક્ષી પક્ષોના નેતાઓ સહિત કોઈપણ અરજદારે ચૂંટણી પંચની આ પ્રક્રિયા પર વચગાળાનો સ્ટે મૂકવાની માંગ કરી નથી. તેણે સંબંધિત અરજીઓ પર જવાબ માંગ્યો અને સુનાવણીની આગામી તારીખ 28 જુલાઈ નક્કી કરી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચે આ અરજીઓ પર 21 જુલાઈ સુધીમાં પ્રતિ-સોગંદનામું દાખલ કરવું જોઈએ અને 28 જુલાઈ સુધીમાં આના જવાબો દાખલ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે તે ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને પ્રામાણિકતા પર શંકા કરતું નથી, કારણ કે તે એક બંધારણીય જવાબદારી છે, પરંતુ આ પ્રક્રિયાનો સમય શંકા પેદા કરી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીને કહ્યું, "અમને તમારી પ્રામાણિકતા પર શંકા નથી, પરંતુ કેટલીક ધારણાઓ છે. અમે તમને રોકવાનું વિચારી રહ્યા નથી કારણ કે તે એક બંધારણીય જવાબદારી છે." દ્વિવેદીએ કહ્યું કે 60 ટકા મતદારોએ તેમની ઓળખ ચકાસી લીધી છે અને કોર્ટને ખાતરી આપી છે કે કોઈને પણ પોતાનો કેસ રજૂ કરવાની તક આપ્યા વિના મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવશે નહીં. બેન્ચે કહ્યું, "અમે કોઈપણ બંધારણીય સંસ્થાને જે કરવું જોઈએ તે કરવાથી રોકી શકતા નથી. તે જ સમયે, અમે તેમને જે ન કરવું જોઈએ તે કરવા દઈશું નહીં."

અગાઉ, બેન્ચે બિહારમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ચૂંટણી પંચને કહ્યું હતું કે તમારે પહેલા પગલાં લેવા જોઈતા હતા, હવે થોડું મોડું થઈ ગયું છે. જોકે, તેણે આ દલીલને ફગાવી દીધી હતી કે કમિશનને આ કવાયત હાથ ધરવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે કહ્યું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો કવાયત એક મહત્વપૂર્ણ મુદ્દો છે, જે લોકશાહીના મૂળ સાથે જોડાયેલો છે અને તે મતદાનના અધિકાર સાથે સંબંધિત છે. ચૂંટણી પંચે આ કવાયતને યોગ્ય ઠેરવી અને કહ્યું કે આધાર કાર્ડ "નાગરિકતાનો પુરાવો" નથી.

જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે બિહારમાં મતદાર યાદી સુધારણામાં દસ્તાવેજોની યાદીમાં આધાર કાર્ડને ધ્યાનમાં ન લેવા પર પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે ચૂંટણી પંચને વ્યક્તિની નાગરિકતા સાથે કોઈ લેવાદેવા નથી અને તે ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. બંધારણના કલમ 326 ટાંકીને દ્વિવેદીએ કહ્યું દરેક મતદાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને "આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી." ન્યાયાધીશ ધુલિયાએ કહ્યું, "જો તમારે બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા હેઠળ નાગરિકત્વ તપાસવું હોય, તો તમારે પહેલા પગલાં લેવા જોઈતા હતા, હવે થોડું મોડું થઈ ગયું છે."

દરમિયાન, કોર્ટે અરજદારોના વકીલોની દલીલને ફગાવી દીધી કે ચૂંટણી પંચ પાસે બિહારમાં આવી કવાયત હાથ ધરવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી. બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચ જે કરી રહ્યું છે તે બંધારણ હેઠળ આવરી લેવામાં આવ્યું છે અને છેલ્લી આવી કવાયત 2003 માં હાથ ધરવામાં આવી હતી. અરજદારોની દલીલોનો ઉલ્લેખ કરતા, બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચે ત્રણ પ્રશ્નોના જવાબ આપવા પડશે કારણ કે બિહારમાં SIR ની પ્રક્રિયા "લોકશાહીના મૂળ સાથે જોડાયેલી છે અને તે મતદાનના અધિકાર સાથે સંબંધિત છે."

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી ત્રણ મુદ્દાઓ પર જવાબ માંગ્યા - શું તેની પાસે મતદાર યાદીમાં સુધારો કરવાની સત્તા છે, અપનાવવામાં આવેલી પ્રક્રિયા અને આવી સુધારણા ક્યારે કરી શકાય છે. દ્વિવેદીએ કહ્યું કે મતદાર યાદીમાં સમય જતાં સુધારા સાથે નામોનો સમાવેશ કરવો અથવા દૂર કરવો જરૂરી છે અને SIR એક એવી કવાયત છે. તેમણે પૂછ્યું કે શું ચૂંટણી પંચ પાસે સત્તા નથી મતદાર યાદીમાં સુધારો કરવો હોય તો કોણ કરશે? જોકે, ચૂંટણી પંચે ખાતરી આપી હતી કે કોઈને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવશે નહીં.

Latest Stories