મહીસાગર જિલ્લામાં બાકોર, કડાણા પોલીસ મથકો અને બાકોર પોલીસ લાઈનનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

New Update
મહીસાગર જિલ્લામાં બાકોર, કડાણા પોલીસ મથકો અને બાકોર પોલીસ લાઈનનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમીટેડ દ્વારા નવનિર્મિત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનાં બાકોર પોલીસ સ્ટેશન તથા બાકોર પોલીસ લાઈન તથા કડાણા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરીક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સલામતીની સંવેદનશીલ સરકારની નેમને વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રજાજનોને સારી સુવિધા ઉપ્લબ્ધ થાય અને પોલીસ વિભાગને આધુનિક સગવડોવાળુ પોલીસ મથક મળે તે માટે સરકાર દ્વારા રૂા.૧.૪૦ કરોડના ખર્ચે મહીસાગર જિલ્લામાં આ બે પોલીસ મથકો અને પોલીસ લાઇનના લોકાર્પણ કરતા શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ મહિસાગર પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા જિલ્લો રાજયમાં ઓછો ક્રાઈમ રેટ ધરાવતો જિલ્લો છે. તેનાથી પણ વધુ સારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાય તેવી અપેક્ષા છે તેમ જણાવ્યુ હતું. વધુમાં તેમણે જિલ્લા પ્રભારી મંત્રી તરીકેના સંસ્મરણોને યાદ કર્યા હતા.

નાગરીક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકે જમીન ફાળવણી બાદ નવ નિર્માણ પામેલા પોલીસ સ્ટેશનો અંગે આવાસ નિગમને પ્રજા અને પોલીસની સુવિધા માટે ખુબ જ ટુકા ગાળામાં ત્વરીત કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ અને મહીસાગર પોલીસે દેશમાં શ્રેષ્ઠ મંત્રી તરીકે પ્રદિપસિંહ જાડેજાને મળેલા સન્માન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં ગૃહ રાજય મંત્રીએ બાકોર પોલીસ સ્ટેશન તથા બાકોર પોલીસ લાઈન તથા કડાણા પોલીસ સ્ટેશનનું તક્તિ અનાવરણ દ્વારા લોકાર્પણ કરી રીબીન કાપી બાકોર પોલીસ મથકને પ્રજાજનો માટે ખુલ્લુ મુકી તેની સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ હતું.

આ સમારોહમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, સંતરામપુર ધારાસભ્ય કુબેર ડીંડોર, જિલ્લા કલેક્ટર આર.બી.બારડે પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું. જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ સૌને આવકાર્યા હતા. એલ.સી.બી.પી.એસ.આઈ. એચ.એન.પટેલે વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લા પોલીસ વિભાગની કામગીરીથી મંત્રી તેમજ ઉપસ્થિતોને અવગત કર્યા હતા.