રાજકોટ: બરોડાના વકિલ મંડળના સમર્થનમા ઉતર્યા રાજકોટ બાર એસોસીએશનના સભ્યો, કોર્ટ કાર્યવાહીથી રહ્યા અલિપ્ત

New Update
રાજકોટ: બરોડાના વકિલ મંડળના સમર્થનમા ઉતર્યા રાજકોટ બાર એસોસીએશનના સભ્યો, કોર્ટ કાર્યવાહીથી રહ્યા અલિપ્ત
  • બરોડાના પડઘા રાજકોટમાં
  • રાજકોટ બાર એસોસિએશન ના સભ્યો કોર્ટ કાર્યવાહી થી રહ્યા અલિપ્ત
  • એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે
  • બરોડાના વકીલ મંડળને રાજકોટ બાર એસોસિએશન નું સમર્થન
  • રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ કર્યા સૂત્રોચ્ચાર

બરોડામા વકિલ મંડળના સભ્યો કોર્ટ સંકુલમા બેઠક વ્યવસ્થાના અભાવે આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે રાજકોટ બાર એસોસીએશનના સભ્યો બરોડાના વકીલ મંડળના સભ્યોને સમર્થન આપ્યુ છે.

આજરોજ રાજકોટ બાર એસોસીએસનના સભ્યો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતુ કે આજરોજ રાજકોટના તમામ વકીલો માત્ર અરજન્ટ કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહી નહી કરી વિરોધ નોંધાવશે.