વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તાજેતરની અતિવૃષ્ટિ અને પૂરના સંદર્ભના વીમા કંપનીના પ્રતિનિધિઓ સાથે યોજી બેઠક

પૂરના પાણીથી થયેલા નુકશાનના ક્લેમ્સની ઝડપથી પતાવટ માટે વીમા કંપનીઓ સમયબદ્ધ આયોજન ઘડી કાઢે અને શીઘ્ર અમલ કરે જિલ્લા કલેક્ટર શ્રીમતિ શાલિાની અગ્રવાલે તાજેતરની અતિવૃષ્ટિ અને પૂરના સંદર્ભના વીમા કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
જિલ્લા કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલે અગ્રણી વીમા કંપનીઓના પ્રબંધકો સાથે બેઠક યોજીને તાજેતરના ભારે વરસાદ/ પૂરથી જેમની સ્થાવર જંગમ મિલકતોને નુકશાન થયું છે. એવા વીમાદારોના દાવાઓની પતાવટ-સેટલમેન્ટ માટે સમબયદ્ધ કાર્યક્રમ ઘડી કાઢીને, તેની કાર્યવાહી તાત્કાલીક શરૂ કરી દેવા સૂચના આપી હતી. આ બેઠકમાં ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ સહિત વિવિધ જનરલ વીમા કંપનીના પ્રબંધકો ઉપસ્થિત રહ્યા હતા. લીડ બેંકના મેનેજર શ્રી કુંદનલાલે બેઠકનુ સંકલન કર્યું હતુ.
કલેક્ટર અને કાર્યકારી મ્યુનિસિપલ કમિશનરે શ્રીમતી શાલિની અગ્રવાલે વીમા કંપનીઓની સરળતા માટે મહાનગરપાલિકા એક મહિના માટે એક પ્લોટ ફાળવી આપવાનુ જણાવ્યુ હતું. જેથી વીમાધારકોએ ક્લેમ્સ કરેલા વાહનો વીમા કંપનીઓ ત્યાં લાવી શકે, અને તેની જરૂરી ચકાસણી કરીને વીમો ત્વરાથી મંજૂર કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે. ઉપરાંત વીમાધારકો વીમો ઝડપથી મંજૂર થાય તે બેંક અને વીમા કંપનીઓ સંકલન સાધી શકે તે માટે બેંકોના પ્રબંધકો અને વીમા કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવશે. મહત્વનુ છે કે, રાજ્ય સરકાર પણ વીમાધારકોના વીમા ઝડપથી મંજૂર થાય તે માટે પ્રયાસરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારતા. ૦૪/૦૮/૨૦૧૯ના રોજ ગુજરાતી-અંગ્રેજી છાપાઓમાં મુખ્ય વીમા કંપનીઓના પ્રબંધકોના મોબાઇલ નંબર્સ જે તે કંપનીના હેલ્પલાઇન નંબરની જાણકારી આપતી જાહેર ખબર પ્રસિદ્ધ કરી છે. આ બેઠકમાં મુખ્ય વીમા કંપનીઓના પ્રબંધકો ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર ડી. આર. પટેલ પણ હાજર રહ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT