શ્વેત ક્રાંતિ બાદ હવે મધ ક્રાંતિની શરૂઆત થઇ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

New Update
શ્વેત ક્રાંતિ બાદ હવે મધ ક્રાંતિની શરૂઆત થઇ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ચાર મહત્વના પ્રોજેક્ટનો મોદીના હસ્તે કરાયો પ્રારંભ

Advertisment

czstmqnuuaafsd8

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ચાર મહત્વના પ્રોજેક્ટના પ્રારંભ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરને ક્રાંતિ બાદ મધ ક્રાંતિ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ડીસા ખાતે ચાર મહત્વના પ્રોજેક્ટ સ્વ.ગલભાઈ પટેલ જન્મ શતાબ્દી ઉજવણી, કાંકરેજ ગાય એ-2 અમુલ દૂધ પ્રોજેક્ટ, બનાસ ડેરી દ્વારા હાથ ધરાયેલો મધ પ્રોજેક્ટ અને અત્યાધુનિક ચીઝ અને વ્હે પ્લાન્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

czszdltuaaehsl

વડાપ્રધાન મોદીએ ચાર પ્રોજેક્ટના પ્રારંભ કર્યા બાદ જાહેર જનતાને સંબોધન કર્યું હતુ. મોદીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની સિદ્ધિઓને બિરદાવી હતી, અને બનાસકાંઠા દાડમ અને બટાકા માટે જાણીતો જિલ્લો છે જયારે દુનિયામાં ચીઝ અને મધની માંગ છે ત્યારે ગુજરાતમાં શ્વેત ક્રાંતિ બાદ મધ ક્રાંતિની શરૂઆત થઇ છે.

25 થી 27 વર્ષ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા આવ્યા હતા. આ પ્રસંગે મોદી એ વધુમાં જણાવ્યુ હતુ કે પહેલા ચલણ તરીકે ચાંદીનો રૂપિયો હતો પછી કાગળના રૂપિયા આવ્યા અને હવે તમારો મોબાઈલ જ બેંક છે. ઈ વોલેટ અને એમ વોલેટનો ઉપયોગ કરો, બેંકોમાં લાઈન લગાવી સમય બરબાદ કરવાની જરૂર નથી.

Advertisment

czttjjkvqaaxdxw

મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે ઇમાનદાર લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે, 70 વર્ષ થી દેશને લૂંટવાવાળા, બ્રષ્ટાચારને પાળવા અને પોષવાવાળા આજે લોકોના નામે દુહાઈ આપે છે. રાષ્ટ્રપતિની ટિપ્પણી પછી પણ સંસદને ચાલવા દેવામાં ન આવી અને ચર્ચા માટે સરકાર તૈયાર છે પરંતુ હોબાળો મંજુર નહિ. વધુમાં તેઓએ રાજનીતિ થી ઉપર રાષ્ટ્રનીતિ હોય છે, પક્ષા પક્ષો થી ઉપર થઇ દેશ માટે કામ કરવુ જોઈએ.

વડાપ્રધાન મોદીએ ચલણની નાણાં સંદર્ભે જણાવ્યુ હતુ કે 8 નવેમ્બર પહેલા 20, 50 અને 100 જેવી નોટોની કિંમત નહોતી, નાના લોકોની તાકાત વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આજે રૂપિયા 100ની તાકાત વધી છે. અને તેમની લડાઈ આતંકવાદ સામે હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

czsv3a2viaqost8

જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. અને જણાવ્યુ હતુ કે કોંગ્રેસની માનસિકતા છતી થઇ છે. કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલતુ હોવાના કટાક્ષ પણ તેઓએ કર્યા હતા.

Advertisment

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment
Latest Stories