અમદાવાદ : રીલ્સના ચક્કરમાં ફતેહવાડી કેનાલમાં કાર સાથે 3 યુવાનો ડૂબ્યા, 2ના મૃતદેહ મળતા પરિવારમાં આક્રંદ

અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.

New Update
  • ત્રણ યુવા મિત્રોને કાળ ભરખી ગયો

  • રીલ્સબનાવવાના ચક્કરમાં મળ્યું મોત

  • સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકતાં ત્રણ યુવાનો તણાયા

  • બે યુવાનોના મળ્યા મૃતદેહ,એક હજુ લાપતા

  • ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ આરંભી 

Advertisment W3.CSS

અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.ઘટનામાં બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.જ્યારે અન્ય એક લાપતા બનતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાંખાબકી ગયા હતા.જેમાં સૌથી પહેલા યક્ષ ભંકોડિયાનો મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.આ ઘટનામાં યક્ષનો મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો પછી યશ સોલંકીનો પણ મૃતદેહ મળી આવ્યો છે. જોકે હજુ સુધી અન્ય એક ક્રિશ દવેની અત્યાર સુધી કોઈ ભાળ મળી નથી.

ફાયરબ્રિગેડની ટીમના સભ્યો હજુ સુધી એમને શોધી રહી છે.માહિતી અનુસાર યક્ષ  અને નામનો યુવક આ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે યશ સોલંકીને કાર ચલાવવા આપી હતી. જેને કાર ચલાવતા આવડતી નહોતી અને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતા કાર સીધી કેનાલમાં ખાબકી હતી. આ સમગ્ર ઘટના અંગે એમ ડીવીઝન ટ્રાફિફ પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે આજકાલના બાળકો અને યુવાનોમાં સોશિયલ મીડિયા પર છવાઈ જવાની અને પોતાનો વટ બતાવવાની ઘેલછા ભારે પડી રહી છે અને તેમના જીવને જોખમમાં મૂકી રહી છે,જેને લઈને વાલીઓએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.

 

Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment