અમદાવાદ: લોકોમાં મૂંઝવણ; આદેશ કોનો માનવો AMCનો કે પછી CMનો.?

New Update

રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર મનપા બાદ હવે અમદાવાદમાં પણ નોનવેજની લારીઓને હટાવવાનો તંત્રએ નિર્ણય લીધો છે. પણ અમદાવાદ મનપાના નિર્ણય બાદ રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલના નિવેદનથી મૂંઝવણ ઉભી થઇ છે કે, આદેશ કોનો માનવાનો અમદાવાદ મનપાનો કે રાજ્યના સીએમ.!

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પરથી ઈંડા-નોનવેજની લારીએ હટાવવાનો નિર્ણય લીધો છે. તો સાથે ધાર્મિક સ્થળો અને કોલેજ સ્કુલ કોમ્યુનિટી હોલ પાસે પણ ઇંડા અને નોનવેજ ન વેચી શકાય તેવો નિર્ણય AMCના ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. તો અમદાવાદ મનપાના આ નિર્ણય બાદ મુખ્યમંત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી આવો નિર્ણય કેમ લેવાય તેની મૂંઝવણ ચાલી રહી છે આ વચ્ચે આખરે કઈ લારીઓ હટશે તેની પણ મૂંઝવણ વધી છે. મનપા અને સરકારના નિવેદનથી લોકો અને વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. કારણ કે AMC ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, નોનવેજ-ઇંડાની લારીઓથી બાળકો અને લોકોને અસર થાય છે, તેથી જાહેર માર્ગો પરની આવી લારી હટાવાશે. તો બીજી તરફ આણંદ ખાતે એક કાર્યક્રમ દરમિયાન આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'સરકાર માને છે કે નાગરિકોને જે ખાવું હોય તે ખાઇ શકે છે,' એટલે રાજ્ય સરકાર ટ્રાફિક ને અડચણ રૂપ લારીઓ અંગે વાત કરી હતી છે જ્યારે અમદાવાદ મનપા માત્ર નોનવેજ-ઇંડાની લારી હટાવવા માટે કહી રહી છે. જેને લઇને અન્ય લારીઓના ધંધાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે કોનું માનવું? તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.