અમદાવાદ: કાલુપુર વિસ્તારમાં બે માળનું કાચુ મકાન ધરાશાયી, 3 લોકોને રેસ્ક્યુ કરાયા
BY Connect Gujarat3 Sep 2021 10:53 AM GMT
X
Connect Gujarat3 Sep 2021 10:53 AM GMT
અમદાવાદ કાલુપુર વિસ્તારમાં ભંડેરી પોળમાં સવારે અચાનક બે માળનું મકાન ધરાશાયી થયું હતું.જેમાં ત્રણ જેટલા લોકો કાટમાળમાં દટાયા હતા. બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળમાં ફસાયેલા 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ અંગે ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી 20 મિનિટમાં ત્રણેય વ્યક્તિ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જૂનું મકાન હોવાથી વરસાદના કારણે પડી ગયું હતું. બે મહિના અગાઉ દરિયાપુરમાં લખોટાની પોળની આસપાસમાં પણ મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાયા હતાં. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને ઝડપથી રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
Next Story