અમદાવાદ: રાજયમાં પેટ્રોલ 12 રૂ. તો ડીઝલ 17 રૂ. સસ્તું,સામાન્ય નાગરિકને સરકારની મોટી ભેટ

New Update

દિવાળીના તહેવારોમાં સામાન્ય જનતાને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી રાહત આપી છે અને રાજ્યમાં પેટ્રોલ 12 રૂપિયા સસ્તું અને ડીઝલ 17 રૂપિયા સસ્તું થયું છે જેનાથી સામાન્ય જનતાને રાહત મળી છે

Advertisment


કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 5 રૂપિયા અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટરે 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડીને સમગ્ર ગુજરાતમાં નવો ભાવ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે જેને કારણે રાજ્યમાં ભાવ ઘટાડો થયો છે આ ભાવ ઘટાડો આજથી લાગુ પડી ગયો છે ભારતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયો છે અને લગભગ રોજ 35 પૈસા મોંઘુ થઈ રહ્યું છે.4 ઓક્ટોબર 2021થી 25 ઓક્ટોબર સુધી પેટ્રોલની એવરેજ કિંમત 8 રૂપિયા વધી છે. પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરતા પેટ્રોલમાં 5 રુપિયા અને ડીઝલમાં 10 રુપિયા સસ્તું થયું છે. તો આ સાથે ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો છે. જેને લઇને ગુજરાતની જતાને મોટી રાહત મળી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેના નિર્ણય બાદ ગુજરાતમાં સરેરાશ પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તુ થયું છે.ગુજરાત સહિત બિહાર, આસામ અને ત્રિપુરા સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. તો આ સિવાયના અન્ય રાજ્યો પણ ટુંક સમયમાં વેટમાં ઘટાડો કરશે. જેને લઇને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થશે પેટ્રોલમાં ભાવ ઘટાડાથી અમદાવાદના સ્થાનિકો ખુશ છે પણ સાથે હવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થાય તેવી ઈચ્છા વ્યકત કરી રહ્યા છે

Advertisment
Read the Next Article

અમદાવાદના ચંડોળામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે ડિમોલિશનનો બીજો તબક્કો થશે શરૂ

ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી

New Update
Chandola LAke

અમદાવાદમાં તારીખ 20 મે થી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહા નગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisment

અમદાવાદનો ચંડોળા વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમાં પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કેચંડોળા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવાનું આયોજન છે. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. 

ડિમોલિશન અંગે શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા પોલીસ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વિશેષ બેઠક કરવામાં આવી હતી,અને ડિમોલિશન અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisment