અમદાવાદ : બાવળા-બગોદરા હાઈવે પર 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 3 વાહનો બળીને ખાખ, 2 લોકોના મોત...

અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.

New Update
  • બાવળા-બગોદરા માર્ગ પર સર્જાય મોટા અકસ્માતની ઘટના

  • બગોદરાથી બાવળા તરફ જતાં કાપડના ટ્રકનું ટાયર ફાટ્યું

  • ટાયર ફાટતા બાવળાથી બગોદરા જતાં ટ્રક સાથે અકસ્માત

  • 4 વાહનો અથડાતા બ્લાસ્ટ બાદ વાહનોમાં લાગી હતી આગ

  • અકસ્માતની ગોઝારી દુર્ઘટનામાં ટ્રકમાં સવાર 2 લોકોના મોત

Advertisment

અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો. ગોઝારા અકસ્માતની આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતા.

અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવેથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બગોદરાથી બાવળા તરફ જતાં કાપડના ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી.

આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે. સૂત્રોનું માનીએ તો બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડએ આગ પર કાબુ મેળવ્યો હતોજ્યારે પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેઅકસ્માતની ઘટનામાં ડ્રાઈવરનું મોત થયું છેજ્યારે અન્ય 1 મૃતક કોઈ પેસેન્જર હોવાની વિગતો સામે આવી છે.

Advertisment
Read the Next Article

અમદાવાદ : ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો,ચાર દિવસ ચાલશે કામગીરી, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે.

New Update
  • ચંડોળા તળાવ પાસે ડિમોલિશનનો બીજો તબક્કો

  • ત્રણ હજારથી વધુ પોલીસ જવાન તૈનાત

  • 35થી વધુ જેસીબી મશીનનો ખડકલો

  • ચાર દિવસ ચાલશે ડિમોલિશનની કામગીરી

  • ડિમોલિશન પૂર્ણ થયા બાદ બાઉન્ડ્રી વોલ બનશે

Advertisment

અમદાવાદના ચંડોળા તળાવ પાસે આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે,તેમ જાણવા મળ્યું છે.

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશેતે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છેકે ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.

Advertisment