Covid19 : રાજ્યમાં આજે 40 નવા કેસ નોધાયા, 27 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજે કોરોનાના 40 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર પણ થયા છે.

New Update

રાજ્યમાં આજે કોરોનાના 40 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,108 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 5,38,943 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Advertisment W3.CSS

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 10, જામનગર કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશન 7, સુરત કોર્પોરેશન 4,નવસારી 3, ભાવનગર કોર્પોરેશન 2, કચ્છ 2, આણંદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, વડોદરા 1 અને વલસાડ 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 275 કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 268 નાગરિકો સ્ટેબલ છે. 8,17,108 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.