Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ એરપોર્ટ પર નવું કાર્ગો ટર્મિનલ કાર્યરત, જાણો અનેક સુવિધા વિશે..?

રાજ્યના સૌથી મોટા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારથી નવી અને અદ્યતન સેવા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પર નવું કાર્ગો ટર્મિનલ કાર્યરત, જાણો અનેક સુવિધા વિશે..?
X

રાજ્યના સૌથી મોટા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારથી નવી અને અદ્યતન સેવા શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર ઇન્ટરનેશનલ કુરિયર અને એક્સપ્રેસ કાર્ગો કન્સાઈનમેન્ટ હેન્ડલ કરતી સુવિધા શરૂ કરવામાં આવી છે. નવા કાર્ગો ટર્મિનલ ની સેવા શરૂ થવાથી એરપોર્ટ પર થતી આયાત અને નિકાસ તેમજ વેપારને વેગ મળશે.

24 કલાક કાર્યરત નવા કાર્ગો ટર્મિનલ પરથી દરરોજ 100 ટન અને મહિને સરેરાશ 3500 મેટ્રિક ટન માલની આયાત-નિકાસ કરી શકાશે. આ ટર્મિનલ પરથી કાર્ગોની સલામતી સુનિશ્ચિત કરવા માટે નજીકથી ચોતરફી દેખરેખ રાખવામાં આવશે. ટર્મીનલ હેન્ડલીંગ સર્વીસ અંતર્ગત સીટી સાઈડ હેન્ડલીંગ, સીક્યુરીટી, સ્ટોરેજ, સુપરવીઝન જેવી તમામ સુવિધાઓને શરૂઆતથી અંત સુધી હેન્ડલ કરવામાં આવશે. એરપોર્ટ પર આંતરમાળખાકીય સુવિધાઓ વધતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્ગો હેન્ડલિંગના સેવામાં સુધારો થશે.નવી ટર્મિનલ સુવિધા અમદાવાદ-મુંબઈ વચ્ચે આંતરરાષ્ટ્રીય બોન્ડેડ કાર્ગોને જોડતી ટ્રકોના બોન્ડેડ રોડ ફીડર સંબંધિત હેન્ડલિંગની સુવિધા પણ આપશે.

જેનાથી 2 એરપોર્ટ વચ્ચે બોન્ડેડ કાર્ગોનું સંપૂર્ણ પારદર્શિતા અને શિપમેન્ટના રીઅલ ટાઇમ ટ્રેકિંગથી સરળતાથી કરી શકાશે.અદ્યતન સુરક્ષા અને હેન્ડલિંગ સાધનો ધરાવતું નવુ ટર્મિનલ IT સિસ્ટમ ઓટોમેશનથી સજ્જ છે, જેમાં તમામ મોડ્યુલ્સ અને કાર્ગો સિસ્ટમ્સને આવરી લેવામાં આવ્યા છે.ફાર્માસ્યુટિકલ્સ તેમજ જલદીથી બગડી જાય તેવી ચીજવસ્તુઓને હેન્ડલ કરવા નવા કાર્ગો ટર્મિનલ પર 15 થી 25 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન ધરાવતા કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Next Story