Connect Gujarat
અમદાવાદ 

ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે લઈ શકે છે મોટો નિર્ણય, જાણો વિગતો

સરકાર ખેડૂતોની હામી હોય તેમ આ માટે મોટો નિર્ણય કરી શકે છે

ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે લઈ શકે છે મોટો નિર્ણય, જાણો વિગતો
X

રાજ્યમાં આવેલા તૌક્તે વાવાઝોડા અને ત્યારબાદ, અતિવૃષ્ટિ જેવા વરસાદ સુરાષ્ટ્ર, ગુજરાતના કેટલાય ખેડૂતોના ઉભા પાકને ધોઈ નાખ્યો પરિણામે ખેડૂત સરકાર સામે કોઈ મોટી રાહત/સહાય જાહેર થાય તે આશા બેઠો છે ત્યારે, સરકાર પણ ખેડૂતોની હામી હોય તેમ આ માટે મોટો નિર્ણય કરી શકે છે.

ખેડૂતોને રાહત સહાયમાં મોટો વધારો વીઘા દીઠ આપી સરકાર ખેડૂતોના ચહેરા પર હાસ્ય જોવા ઉત્સુક છે. પણ, વીઘા દીઠ કેટલી સહાય આપવી તેનો નિર્ણય મુખ્યમંત્રી જ કરશે વિધાનસભાનું સત્ર આગામી 27-28 તારીખે મળશે અને ત્યાર બાદ રાજ્ય સરકાર ખેડૂતોના હિતનો નિર્ણય કરશે. હાલમાં ખેડૂતોને SDRFના ધારાધોરણ મુજબ સહાય ચુકવાય છે. આ સહાયમાં ખેડૂતોને વિધાપીઠ રૂપિયા 6 હજાર 800 ની સહાય મળી રહી છે. વિધાનસભા સત્ર બાદ સહાય પેકેજની જાહેરાત થઈ શકે છે અને તેમાં પાક નુકસાન સહાય રકમમાં વિઘા દીઠ રૂ.10થી 15 હજાર વધી શકવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. વીઘા દીઠ રૂ.20 હજારની સહાય બાબતે રાજ્યના મુખ્યમંત્રી નિર્ણય લેશે સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં તૌક્તે અને ત્યાર બાદ પાછોતરા વરસાદ ભારે તબાહી મચાવી છે.ખાસ કરીને, જામનગર, જૂનાગઢ,ગીર-સોમનાથ અને રાજકોટ જિલ્લા, ઉપરાંત તૌક્તેએ ગીર-સોમનાથ, અમરેલી જિલ્લાની ખેતી અને લગભગ બરબાદ કરી નાખી હતી. તત્કાલીન રૂપાણી સરકારે કેટલીક સહાય અને સર્વે કરાવ્યા હતા.

Next Story